Site icon Time News

PM Modi in Bangkok: બેંગકોકમાં PM મોદી અને મો. યુનુસ વચ્ચે થઈ મુલાકાત, શું બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો સુધરશે?

BIMSTEC સંમેલનમાં ભાગ લેવા માટે બેંગકોક પહોંચેલા પીએમ મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત શરૂ કરી છે. આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક માટે વિનંતી મોહમ્મદ યુનુસે કરી હતી, જેને ભારતે સ્વીકારી લીધી હતી.

હાલમાં, મોહમ્મદ યુનુસ પર માત્ર આંતરરાષ્ટ્રીય દબાણ જ નથી, પરંતુ દેશની અંદરથી પણ તેમના વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. અહીંના લોકો વહેલી ચૂંટણીની માંગ કરી રહ્યા છે. ગુરુવારે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ BIMSTEC સમિટ પહેલા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં સાથે બેઠા જોવા મળ્યા હતા.

બાંગ્લાદેશમાં હસીના સરકારની હકાલપટ્ટી અને ત્યાં લઘુમતીઓ પરના હુમલાઓ પછી ભારત-બાંગ્લાદેશ સંબંધો બગડ્યા હોવાથી મોદી અને યુનુસ વચ્ચેની મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત, કેટલાક વર્તુળોમાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે યુનુસનો બાંગ્લાદેશના વહીવટ પર કેટલો નિયંત્રણ છે. 

વડા પ્રધાન મોદીએ 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ પર યુનુસને પત્ર લખીને કહ્યું હતું કે ભારત ઢાકા સાથેની તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો, જેને ભારત-ઢાકા ભાગીદારીનો પાયો માનવામાં આવે છે.બાંગ્લાદેશમાં હસીના સરકારની હકાલપટ્ટી અને ત્યાં લઘુમતીઓ પરના હુમલાઓ પછી ભારત-બાંગ્લાદેશ સંબંધો બગડ્યા હોવાથી મોદી અને યુનુસ વચ્ચેની મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત, કેટલાક વર્તુળોમાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે યુનુસનો બાંગ્લાદેશના વહીવટ પર કેટલો નિયંત્રણ છે. 

આ પણ વાંચો, Ahmedabad: લોથલમાં ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ, 4,500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version