ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે:હોર્મુઝ રૂટ બંધ થતાં સરકારે નવા રસ્તાઓથી ક્રૂડ ઓઇલની સપ્લાય 10% વધારી

મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની ચિંતા ટળી ગઈ છે. કારણ કે, હોર્મુઝ રૂટ બંધ થયા પછી સરકારે કુલ આયાતના 10% ક્રૂડ ઓઇલ નવા રૂટથી મંગાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે આ નિર્ણય સપ્લાય હોર્મુઝ રૂટ પ્રભાવિત થવાને કારણે લીધો છે.
સૂત્રો અનુસાર, સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ છતાં ભારત પાસે તેલનો પર્યાપ્ત ભંડાર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, હોર્મુઝ રૂટ બંધ થવાને કારણે છેલ્લા 8 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 27% સુધી વધી ગયા છે.
સરકારી સૂત્રોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં. આજે અમે દેશને ફરીથી ખાતરી આપીએ છીએ કે કિંમતોમાં કોઈ વધારો થશે નહીં.”
ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને બ્લોક કરી દીધું છે, જ્યાંથી દુનિયાની 20% તેલ સપ્લાય થાય છે. જ્યારે, ભારત પોતાની જરૂરિયાતનું 50% ક્રૂડ ઓઇલ અને 54% એલએનજી આ જ માર્ગેથી મંગાવે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા ભારતે પોતાની રણનીતિ બદલી લીધી છે અને આ વિવાદિત માર્ગ પર નિર્ભરતા ઓછી કરી દીધી છે.
10% નો વધારો: ભારતે તે માર્ગોથી થતા ક્રૂડ ઓઇલની આયાતમાં 10% નો વધારો કર્યો છે, જે હોર્મુઝના દાયરામાં આવતા નથી.
નવો રૂટ: પહેલાં ભારત તેની જરૂરિયાતનું 60% ક્રૂડ ઓઇલ હોર્મુઝ સિવાયના અન્ય માર્ગોથી મંગાવતું હતું, જેને હવે વધારીને 70% કરી દેવામાં આવ્યું છે. આનાથી ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારતની સપ્લાય ચેઇન પર ઓછી પડશે. ભારત તેની જરૂરિયાતનું લગભગ 85-90% ક્રૂડ ઓઇલ 40+ દેશોમાંથી મંગાવે છે.
સરકારે એવા સંકેતો પણ આપ્યા છે કે હોર્મુઝ રૂટ પાસે જહાજોની અવરજવર જલ્દી જ શરૂ થઈ શકે છે.
ઈરાનનો દૃષ્ટિકોણ: સૂત્રો અનુસાર, ઈરાને વચન આપ્યું છે કે જ્યાં સુધી તેના પ્રદેશમાંથી ઈરાન પર હુમલો ન થાય ત્યાં સુધી તે તેના પડોશી દેશોને નિશાન બનાવશે નહીં.
વૈશ્વિક ઓફર: ભારત માટે સારી વાત એ છે કે વિશ્વના ઘણા અન્ય દેશો પણ તેને તેલ અને LNG સપ્લાય કરવામાં રસ દાખવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ભારત પાસે હાલમાં LNGનો સરપ્લસ સ્ટોક ઉપલબ્ધ છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત થઈ છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે તાજેતરની સમીક્ષામાં તેલના સ્ટોકના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે.
સ્ટોકની સ્થિતિ: સૂત્રોના જણાવ્યા અનુસાર, “ભારતની એનર્જી સ્ટોક પોઝિશન સુધરી રહી છે. જેમ જેમ પરિસ્થિતિ સુધરી રહી છે, તેમ તેમ અમારો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે.”
રિવ્યુ મીટિંગ: આંતરિક રિવ્યુ મીટિંગ્સમાં પણ આ વાત સામે આવી છે કે ભારતનો એનર્જી સ્ટોક પહેલા કરતા ઘણી સારી સ્થિતિમાં પહોંચી ગયો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન