Pakistan opened fire on LoC: પાકિસ્તાને LoC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પહેલગામ આતંકવાદી હુમલા પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાને  જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે.

ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી સરહદ પર હુમલો કર્યો હતો. આપણી સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી.

આ પણ વાંચો, Pahalgam terrorist attack: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે શાહ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, વિદેશ મંત્રાલયના કાર્યાલય ખાતે વિશ્વના ટોચના ડિપ્લોમેટ સાથે બેઠક

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *