Corona virus: પાડોશી દેશોમાં કોરોનાની નવી લહેરે મચાવી તબાહી, જાણો ભારતમાં કેટલો ખતરો

આ કોરોના વાયરસે તો ભારે કરી છે. ફરી વિશ્વના કેટલાક દેશોમાં માથું મારવા લાગ્યો છે. વિશ્વમાં એકબાજુ અનેક દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે તો બીજી બાજુ કોરોનાને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. જી હાં હાલમાં ચીન, સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણપૂર્વ દેશોમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણપૂર્વ એશિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસની લહેર ચાલી રહી છે.
આ કોરોના વાયરસે તો ભારે કરી છે. ફરી વિશ્વના કેટલાક દેશોમાં માથું મારવા લાગ્યો છે. વિશ્વમાં એકબાજુ અનેક દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે તો બીજી બાજુ કોરોનાને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. જી હાં હાલમાં ચીન, સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણપૂર્વ દેશોમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણપૂર્વ એશિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસની લહેર ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ હોય છે. આ લોકો વધુ ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત, જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે તેમને પણ વધુ જોખમ રહેલું છે. ડોક્ટરોના મતે આ ઋતુમાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આવું થઈ શકે છે. આ કારણે સિંગાપોરમાં લોકોને બૂસ્ટર ડોઝ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.તમને જણાવી દઈએ કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ હોય છે. આ લોકો વધુ ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત, જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે તેમને પણ વધુ જોખમ રહેલું છે. ડોક્ટરોના મતે આ ઋતુમાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આવું થઈ શકે છે. આ કારણે સિંગાપોરમાં લોકોને બૂસ્ટર ડોઝ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં કોરોનાનો કોઈ મોટો ખતરો નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સત્તાવાર ડેશબોર્ડ અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ફક્ત 93 કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોના મહામારીની નવી લહેરના કોઈ સંકેત નથી.