Site icon Time News

રાજ્ય સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કોને કઈ જવાબદારી મળી

 ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દીધી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

નિયુક્ત કરાયેલા પ્રભારી અને સહ-પ્રભારી મંત્રીઓએ નીચે મુજબની મુખ્ય જવાબદારીઓ નિભાવવાની રહેશે. જેમાં મંત્રીઓએ સમયાંતરે તેમના ફાળવેલ જિલ્લાની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત દરમિયાન, મંત્રીઓએ જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નો અને સ્થાનિક પડકારોથી સંપૂર્ણપણે વાકેફ થવું પડશે. પ્રશ્નોની ગંભીરતા અને સ્થિતિ સમજ્યા બાદ, તેના નિકાલ સંબંધે મંત્રીઓ દ્વારા જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

રાજ્ય સરકારનો આ નિર્ણય પ્રાદેશિક સંતુલન જાળવવા અને જિલ્લા સ્તરે રાજકીય તેમજ વહીવટી પકડ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્રભારી મંત્રીઓ તેમના નિયુક્ત જિલ્લાઓમાં કલ્યાણકારી યોજનાઓનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ પર વિશેષ ધ્યાન આપશે. સરકારના આ પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વિકાસના કામોમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે.

મંત્રીજિલ્લાનું નામ
હર્ષ સંઘવીવડોદરા, ગાંધીનગર
કનુ દેસાઈસુરત, નવસારી
જીતુ વાઘાણીઅમરેલી, રાજકોટ
ઋષિકેશ પટેલઅમદાવાદ, વાવ-થરાદ
નરેશ પટેલવલસાડ, તાપી
અર્જુન મોઢવાડિયાજામનગર, દાહોદ
પ્રદ્યુમન વાજાસાબરકાંઠા, જૂનાગઢ
 રમણ સોલંકી ખેડા, અરવલ્લી
ઈશ્વર પટેલ નર્મદા
પ્રફુલ પાનેસેરિયાભરૂચ
કાંતિ અમૃતિયા કચ્છ
પરષોત્તમ સોલંકીગીર સોમનાથ
દર્શનાબેન વાઘેલાસુરેન્દ્રનગર
રમેશ કટારાપંચમહાલ
કૌશિક વેકરિયાભાવનગર, જૂનાગઢ ( સહ પ્રભારી )
મનીષા વકીલછોટાઉદેપુર
પ્રવીણ માળીમહેસાણા, નર્મદા ( સહ પ્રભારી )
જયરામ ગામિતડાંગ
ત્રિકમ છાંગામોરબી, રાજકોટ ( સહ પ્રભારી )
કમલેશ પટેલબનાસકાંઠા, વડોદરા ( સહ પ્રભારી )
જયરામ ગામિતડાંગ
સ્વરૂપજી ઠાકોરપાટણ
સંજયસિંહ મહિડાઆણંદ, ભરૂચ ( સહ પ્રભારી )
પૂનમચંદ બરંડામહીસાગર, દાહોદ ( સહ પ્રભારી )
રીવાબા જાડેજા બોટાદ
Exit mobile version