મહેસાણા: કડાના શ્રદ્ધાળુને મહાકુંભમાં આવ્યો હાર્ટએટેક, સારવાર મળે તે પહેલાં જ મોત

પ્રયાગરાજમાં મહાકુંભમાં લાખો – કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ – વિદેશથી શાહી સ્નાન કરવા માટે આવે છે. ત્યારે ગઈકાલે મૌની અમાસના દિવસે મહાકુંભમાં ભાગદોડ થવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું મોત થયું છે.સંગમ સ્થાન તરફ જતા શ્રદ્ધાળુને હાર્ટ એટેક આવ્યો છે.
મૃતક અમદાવાથી મિત્રો સાથે બસમાં મહાકુંભમાં ગયા હતા. ત્યારે તેમનું મોત થયું છે. મૃતક મહેસાણાના કડા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જો કે એમ્બ્યુલન્સ મારફતે મૃતકને વતન પરત લવાશે.