Site icon Time News

અરબ સાગરમાં ભારતીય નેવીના યુદ્ધ જહાજને ટક્કર મારનારા પાકિસ્તાનના PNS હુસૈન વિશે જાણો

15 સપ્ટેમ્બરના રોજ સાંજે ઉત્તર અરબ સાગરમાં પાકિસ્તાની નેવીના જહાજે ભારતીય યુદ્ધ જહાજને પૂરપાટ ઝડપે અસુરક્ષિત રીતે ટક્કર મારી. ભારતે પાકિસ્તાનની આ હરકત સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો.  ભારતે બુધવારે નવી દિલ્હીમાં પાકિસ્તાનના ચાર્જ ડી અફેર્સને તલબ કર્યા. ભારતે પાકિસ્તાની નેવીના યુનિટ્સના આવા વ્યવહારને અસ્વીકાર્ય અને બિનવ્યવસાયિક ગણાવતા વિરોધ જતાવ્યો, જેના કારણે ભારતીય નેવીના એક જહાજ સાથે ટક્કર થઈ. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ઘટના આંતરરાષ્ટ્રીય જલક્ષેત્રમાં ઘટી. 

અત્રે જણાવવાનું કે ઉત્તરી અરબ સાગરમાં ભારતીય નેવીના એક યુદ્ધ જહાજ અને પાકિસ્તાની નેવીના એક જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. એક પાકિસ્તાની જહાજ  ખુબ જ ઝડપથી ભારતીય જહાજ પાસે આવ્યું અને અસુરક્ષિત રીતે આગળ વધ્યું  ત્યારે આ ટક્કર થઈ. ભારતીય જહાજ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં નિયમિત પેટ્રોલિંગ મિશન પર હતું. ત્યારે પાકિસ્તાની નેવીનું જહાજ અચાનક તેની નજીક આવી ગયું હતું.  

કોઈ નુકસાન થયું જહાજને?

શું આવી ઘટના પહેલા પણ બની છે?

1991ની સમજૂતિનો ભંગ

ટક્કર મારનારું પાકિસ્તાની જહાજ કયું હતું?

હવે આગળ શું થશે?
બંને જહાજ વચ્ચે ટકકર છતાં સારી બાબત એ છે કે કોઈ મોટા નુક્સાનની કોઈ સૂચના નથી. જોકે, ભારતે આ મામલાને ગંભીરતાથી લઈને રાજદૂત સ્તરે ભારે વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાનને પોતાના નૌસૈનિક જહાજોને સાવધાનીથી ચલાવવાની અને બંને દેશો વચ્ચે થયેલા કરારનું સન્માન કરવા કહ્યું છે. આ સાથે ભારતના ઈસ્લામાબાદ સ્થિત પ્રભારી રાજદૂતને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સામે આ જ પ્રકારે વિરોધ કરવાની સૂચના અપાઈ છે. હવે દરિયામાં થયેલી ટક્કર એ કૂટનીતિક મામલો બની ગયો છે. આગળ એ જોવું રહ્યું કે પાકિસ્તાન આ કેસમાં શું પ્રતિક્રિયા આપે છે અને ભવિષ્યમાં પણ બંને દેશની સેના આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય એ માટે કયા પ્રકારની સાવચેતીભર્યા પગલાં ઉઠાવે છે.

Exit mobile version