પંજાબમાં રાજકીય ઉથલપાથલ, કેજરીવાલે AAPના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્ચા

દિલ્હીમાં કારમી હાર બાદ તરત જ આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે. પક્ષપલટાની અટકળો વચ્ચે એવા અહેવાલો છે કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના AAP ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તાજેતરમાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં AAP ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાવા માટે તૈયાર છે. જોકે, આ દાવા અંગે કોઈપણ AAP નેતાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
અહેવાલો અનુસાર, કેજરીવાલે પંજાબના ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠક 11મી ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના ધારાસભ્યોને મંગળવારે બધાં કામ રદ કરવા અને કપૂરથલા હાઉસ ખાતે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બેઠકનો એજન્ડા શું હશે.
પંજાબ કેબિનેટની બેઠક જે છઠ્ઠી ફેબ્રુઆરીએ યોજાવાની હતી તે પહેલા 10મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 13મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ગુમાવ્યા બાદ પાર્ટી નેતૃત્વનું ધ્યાન હવે પંજાબ પર છે. એવી શક્યતાઓ છે કે કેજરીવાલ ધારાસભ્યો સાથે મતદારો સાથે જોડાવા વિશે વાત કરી શકે છે.