ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ

ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોને કચડી નાખવા માટે સુપ્રીમ લીડર ખામેનેઈના શાસને દમનકારી નીતિઓ અપનાવી છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ (IHR) NGO ને ટાંકીને AFP એ અહેવાલ આપ્યો છે કે ઈરાનમાં પ્રદર્શનો પરના કડક કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 3,428 વિરોધીઓ માર્યા ગયા છે અને 10,000થી વધુની ધરપકડ કરવામાં આવી છે.

IHRએ જણાવ્યું હતું કે મૃત્યુઆંકમાં આ વધારો ઈરાની આરોગ્ય અને શિક્ષણ મંત્રાલયો તરફથી નવી માહિતીને પગલે થયો છે. AFP એ IHRને ટાંકીને જણાવ્યું હતું કે 8 થી 12 જાન્યુઆરી સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનોના શિખર દરમિયાન આશરે 3400થી વઘુ મૃત્યુ થયા હતા.

સૂત્રો અનુસાર, હિઝબુલ્લાહે ઈરાન પર સંભવિત હુમલાની પ્રતિક્રિયાને લઈને કોઈ ગેરન્ટી આપી નથી. રોઇટર્સે બુધવારે લેબનાનના એક સૂત્રને ટાંકીને કહ્યું હતું કે રાજદ્વારીઓએ લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ પાસેથી ગેરન્ટી માંગી છે કે જો અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો તેઓ લશ્કરી કાર્યવાહી કરશે. આ સ્ત્રોત જૂથના વિચારથી પરિચિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે ઈરાન સમર્થિત જૂથનો રાજદ્વારી ચેનલો મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે જ્યારે જૂથે સ્પષ્ટ ગેરન્ટી આપી ન હતી પરંતુ જો ઈરાન પર હુમલો ઈરાનના નેતૃત્વ માટે અસ્તિવનો સવાલ નહીં હોય તો તેની કાર્યવાહી કરવાની કોઈ યોજના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *