અમારું પાણી રોક્યું તો હાથ કાપી નાખીશું:પાણી માટે તરફડિયાં મારતાં પાકિસ્તાને ફરી આપી ખોખલી ધમકી, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર ફરી એકવાર ભારતને ધમકી આપી છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે જો કોઈએ પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવાનો પ્રયાસ કર્યો તો અમે તે હાથ કાપી નાખીશું. તેમણે દાવો કર્યો કે ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવા માગે છે.

મુસાદિક મલિકે સૂચના મંત્રી અતાઉલ્લાહ તરાર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,

QuoteImage

પડોશી દેશના વડાપ્રધાનના હાથમાં એક નળ છે. તેઓ કહે છે કે પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ જવા દેશે નહીં. જેઓ અમારા હિસ્સાના પાણી પર દાવો કરશે, તેમના હાથ કાપી નાખવામાં આવશે.QuoteImage

જ્યારે અતાઉલ્લાહ તરારે કહ્યું કે સિંધુ જળ સંધિ કાયદેસર રીતે હજુ પણ લાગુ છે. તેમના મતે, ભારત તેને ન તો એકતરફી સ્થગિત કરી શકે છે, ન રદ કરી શકે છે અને ન તો તેમાં ફેરફાર કરી શકે છે.

પાકિસ્તાની મંત્રીઓએ જણાવ્યું કે મંગળવારે ઇસ્લામાબાદમાં સિંધુ જળ સંધિ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સેમિનાર આયોજિત કરવામાં આવશે. આમાં કાનૂની નિષ્ણાતો, જળ નિષ્ણાતો અને વિદેશી પ્રતિનિધિઓ ભાગ લેશે. સેમિનારમાં સંધિના કાનૂની અને તકનીકી પાસાઓ પર ચર્ચા થશે.

ડોન અનુસાર, તરારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પાકિસ્તાનના અધિકારો સુરક્ષિત છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પહેલા પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પાણી આપણી જીવનરેખા છે અને તે આપણી રેડ લાઇન પણ છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે 21 જૂને સિંધુ જળ સંધિ સ્થગિત રહેવા અંગે ભારતને ધમકી આપી હતી. પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં આસિફે કહ્યું કે જો પાકિસ્તાનને લાગશે કે તેની જળ સુરક્ષા જોખમમાં છે, તો તે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડી શકે છે.

તેમણે આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાનના હિસ્સાના પાણીના પ્રવાહમાં દખલ કરી રહ્યું છે અને વ્યૂહાત્મક હથિયાર તરીકે તેનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં આ મામલે શું નવા ઘટનાક્રમ થયા છે, તેની તેમને સંપૂર્ણ જાણકારી નથી.

એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી સંધિ ફરીથી શરૂ કરવામાં આવશે નહીં.

ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર શું છે?

સિંધુ નદી પ્રણાલીમાં કુલ 6 નદીઓ છે – સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. તેના કિનારાનો વિસ્તાર લગભગ 11.2 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેમાં 47% જમીન પાકિસ્તાન, 39% જમીન ભારત, 8% જમીન ચીન અને 6% જમીન અફઘાનિસ્તાનમાં છે. આ તમામ દેશોના લગભગ 30 કરોડ લોકો આ વિસ્તારોમાં રહે છે.

947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાથી જ ભારતના પંજાબ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે નદીઓના પાણીની વહેંચણીનો ઝઘડો શરૂ થઈ ગયો હતો. 1947માં ભારત અને પાકિસ્તાનના ઇજનેરો વચ્ચે ‘સ્ટેન્ડસ્ટિલ કરાર’ થયો. આ અંતર્ગત બે મુખ્ય નહેરોમાંથી પાકિસ્તાનને પાણી મળતું રહ્યું. આ કરાર 31 માર્ચ 1948 સુધી ચાલ્યો.

1 એપ્રિલ 1948 ના રોજ જ્યારે કરાર અમલમાં ન રહ્યો ત્યારે ભારતે બંને નહેરોનું પાણી રોકી દીધું. આનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની 17 લાખ એકર જમીન પર ખેતી બરબાદ થઈ ગઈ. ફરીથી થયેલા કરારમાં ભારત પાણી આપવા સંમત થયું.

આ પછી 1951 થી 1960 સુધી વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી અંગે વાતચીત ચાલી અને આખરે 19 સપ્ટેમ્બર 1960 ના રોજ કરાચીમાં ભારતના PM નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે હસ્તાક્ષર થયા. આને ઇન્ડસ વોટર ટ્રીટી અથવા સિંધુ જળ સંધિ કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *