પોરબંદરમાં કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાન શહીદ

પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી સપ્ટેમ્બર 2024 પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં કોસ્ટગાર્ડના 3 જવાન શહીદ થયા હતા.
ઘટનાની જાણકારી મળતાં જ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે આગ પણ ભડકી હતી. ક્રેશ થયા પછી હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.