જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વે અનુસાર,અમદાવાદ શહેરમાં 8,767 મકાનો કપાતમાં આવે છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડશે. અમદાવાદમાં રોડ કપાતમાં જતા મકાનો મામલે AMCએ સર્વે હાથ ધર્યો હતો. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં બહાર આવ્યું છે કે 8,767 મકાનો કપાતમાં આવે છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડશે. આ સાથે જ શહેરમાં 21 ભયજનક હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રોડ કપાતમાં ગયેલા મકાન માલિકોને AMC મકાન આપશે. જોકે 2010 પહેલા સ્થળ પર રહેતા હોય અને 50 ટકા મકાન કપાતમાં જતા લોકોને જ મકાન આપવામાં આવશે. અલગ અલગ વિકાસના કાર્ય માટે મકાનો કપાતમાં જશે. AMC દ્વારા વૈકલ્પિક સુવિધા માટે આવાસ યોજનાના મકાન ફાળવવામાં આવશે. ઉતર પશ્ચિમ ઝોનમાં 994 મકાનો, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 512 મકાનો, પશ્ચિમ ઝોનમાં 1429 મકાન, ઉત્તર ઝોનમાં 1475 મકાનો, મધ્ય ઝોનમાં સૌથી ઓછા 133 મકાનો, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3348 મકાન, પૂર્વ ઝોનમાં 876 મકાન કપાતમાં જશે. એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતા અને ડેપ્યુટી ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં જો તમામ રોડ રસ્તા ખોલવા હોય તો તેના માટેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રોડ કપાતમાં જતા મકાનો અંગેની વિગતો સામે આવી છે. જેમાં 8,767 જેટલા મકાનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવાના થાય છે. વર્ષ 2010 પહેલાનું બાંધકામ હોય અને જો 50 ટકાથી વધારે કપાતમાં જતું હોય તો તેવા લોકોને પોલીસી અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાન ફાળવવામાં આવે છે.