Site icon Time News

Sanoj Mishra arrested: મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, આવો છે આરોપ 

મહાકુંભ મેળામાં વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. દિગ્દર્શક સનોજni બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર થયા બાદ, દિલ્હીના નબી કરીમ પોલીસ સ્ટેશન દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે સનોજ મિશ્રાએ એક નાના શહેરની એક છોકરી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો, જે હિરોઈન બનવાની ઈચ્છા રાખતી હતી.

પીડિતાના જણાવ્યા મુજબ, તે 2020 માં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સનોજ મિશ્રાને મળી હતી. તે સમયે તે ઝાંસીમાં રહેતી હતી. બંને વચ્ચે થોડીવાર વાતચીત ચાલુ રહી અને પછી ડિરેક્ટરે 17 જૂન, 2021 ના ​​રોજ તેણીને ફોન કર્યો અને કહ્યું કે તે ઝાંસી રેલ્વે સ્ટેશન પહોંચી ગયો છે. જ્યારે પીડિતાએ સામાજિક દબાણનો હવાલો આપીને તેને મળવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપી સનોજ મિશ્રાએ આત્મહત્યા કરવાની ધમકી આપી. આ પછી, ડરના કારણે, પીડિતા તેને મળવા ગઈ. બીજા દિવસે, 18 જૂન, 2021 ના રોજ, આરોપીએ તેને ફરીથી ફોન કરીને રેલ્વે સ્ટેશન પર બોલાવી, આત્મહત્યા કરવાની ધમકી આપી.

ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને શોષણ
આરોપ છે કે ત્યાંથી આરોપી તેણીને એક રિસોર્ટમાં લઈ ગયો અને નશીલા પદાર્થો આપ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાએ FIRમાં જણાવ્યું છે કે આરોપીઓએ તેના વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા અને જો તેણી વિરોધ કરશે તો તેને જાહેર કરવાની ધમકી આપી હતી. આ પછી, તેને લગ્નના બહાને ઘણી વખત અલગ અલગ જગ્યાએ બોલાવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. ઉપરાંત, તેણે તેણીને ફિલ્મોમાં કામ અપાવવાનું વચન આપીને લાલચ આપી.

અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મહાકુંભમાં માળા વેચીને સોશિયલ મીડિયાની સ્ટાર બનેલી મોનાલિસા પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમની આગામી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ 2025’ માં મોનાલિસાને લેવાની જાહેરાત કરી હતી. એવા પણ સમાચાર હતા કે સનોજ મિશ્રા મોનાલિસાને અભિનયની તાલીમ આપી રહ્યા છે અને મોનાલિસાને પોતાની સાથે કેટલીક જગ્યાએ લઈ જઈ રહ્યા છે.

તાજેતરમાં, મોનાલિસા પણ સનોજ મિશ્રા સાથે વિમાનમાં મુસાફરી કરતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ઘણી જગ્યાએ આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે સનોજ મિશ્રા મોનાલિસાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સનોજ મિશ્રાએ આ આરોપોનો યોગ્ય જવાબ આપ્યો હતો. સનોજ મિશ્રાએ કહ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે કુંભ મેળામાં મોનાલિસા નામની છોકરી વાયરલ થઈ રહી છે, ત્યારે તેમણે પહેલી વાર તેને જોઈ. તેણે કહ્યું કે મોનાલિસાની આસપાસ ભીડ હતી અને લોકો તેની રીલ બનાવી રહ્યા હતા પરંતુ કોઈએ તે ગરીબ છોકરીને મદદ કરી નહીં. સનોજે કહ્યું કે મોનાલિસાનો પરિવાર તંબુમાં રહે છે અને તેમની પાસે ઘર પણ નથી. આવી સ્થિતિમાં, લોકો તેને મદદ કરવાને બદલે તેને વધુ હેરાન કરી રહ્યા હતા.

આ પણ વાંચો, PM MODI: કોણ હશે PM મોદીનો ઉત્તરાધિકારી? આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો દાવો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version