Ahmedabad: નારોલમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી દંપત્તિનું મોત

અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે  દંપત્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં એકટિવા પર સવાર યુવક અને યુવતી વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાંથી પસાર થતાં વીજ કરંટનો ભોગ બન્યાં. ઘટના બાદ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ પાણીમાં વીજ કરંટ હોવાને કારણે તેમણે વીજ પુરવઠો બંધ કરવા વીજ કંપનીની મદદ લીધી હતી. વીજ પુરવઠો બંધ થયા બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા,પરંતુ ત્યાં સુધીમાં બંનેનાં મોત થઈ ચૂક્યાં હતાં.

 .નારોલ પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢીને મૃતકોના પરિજનોની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના વરસાદી પાણીથી ભરાયેલા ખાડાઓ અને તેમાં વીજ કરંટના જોખમને ઉજાગર કરે છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. આવા જોખમી ખાડાઓ અને અપૂરતા ડ્રેનેજ વ્યવસ્થાને કારણે આવી દુર્ઘટનાઓ થતી હોવાનું સામે આવ્યું છે.આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે, અને તંત્રની બેદરકારી અંગે પણ સવાલો ઉભા થયા છે, જેમાં ખાસ કરીને રસ્તાઓની નબળી સ્થિતિ અને વીજ વ્યવસ્થાની ખામીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો, અમદાવાદ SG હાઇવે પર મોટી દુર્ઘટના, YMCA પાસે નિર્માણાધીન બ્રિજની એન્ગલ તૂટી પડતા બે વ્યક્તિ ઘાયલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *