ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમ તેની બધી મેચ પાકિસ્તાનની બહાર રમશે. કારણ કે BCCI એ પહેલાથી જ કહ્યું હતું કે તે આ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલશે નહીં. પરંતુ કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જઈ શકે છે. ચાલો જાણીએ કે આ પાછળનું કારણ શું છે.

વાસ્તવમાં ICC ટુર્નામેન્ટ પહેલા બધા કેપ્ટનોએ એક ફોટોશૂટમાં ભાગ લેવો પડે છે. ટુર્નામેન્ટ વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે બધા કેપ્ટનોનો ટ્રોફી સાથે ફોટોગ્રાફ લેવામાં આવે છે. જો આવું કોઈ ફોટોશૂટ થાય તો રોહિત શર્માને પાકિસ્તાન જવું પડી શકે છે. જોકે, અત્યાર સુધી પીસીબી, આઈસીસી અને બીસીસીઆઈએ રોહિતની પાકિસ્તાન મુલાકાત અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. ભારત સિવાયની બધી ટીમો પાકિસ્તાનમાં પોતાની મેચ રમશે. ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામેની વ્હાઇટ બોલ સીરિઝની તૈયારી કરી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચ રમવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *