Bollywood: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 4 વર્ષ પછી CBIએ ફાઇલ કર્યો ક્લોઝર રિપોર્ટ, જાણો મૃત્યુનું કારણ

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય એજન્સીએ મુંબઈની એક કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે સુશાંતને આત્મહત્યા માટે કોઈએ ઉશ્કેર્યો હોય.
એજન્સીએ બે કેસ પોતાના હાથમાં લીધા હતા. એક તેના પિતા દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ અને બીજો રિયા દ્વારા સ્વર્ગસ્થ અભિનેતાના પરિવાર વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2020માં સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ પોતાના હાથમાં લીધો.
સુશાંત સિંહનું મૃત્યુ આત્મહત્યા હતું કે કોઈ કાવતરું હતું તે જાણવા માટે એજન્સીએ AIIMS ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી. એઈમ્સ ફોરેન્સિક ટીમે આ ઘટનામાં કોઈ ગેરરીતિનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે આત્મહત્યા હતી.
સોશિયલ મીડિયા ચેટ્સ MLAT દ્વારા યુએસ મોકલવામાં આવી હતી. અહેવાલોએ પુષ્ટિ આપી છે કે ચેટ ડિલીટ કે એડિટ કરવામાં આવી ન હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
આ પણ વાંચો, http://‘તીન બચ્ચે હિંદુ સચ્ચે’, અમદાવાદમાં AHPની બેઠકમાં પ્રવીણ તોગડિયાએ આપ્યો નારો