રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: અયોધ્યામાં આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા ચઢાવા (Donations) ની ચોરીના મામલામાં ઉત્તર પ્રદેશ પોલીસે મોટું એક્શન (Big Action) લીધું છે. આ કેસની તપાસ કરી રહેલી ટીમોએ રવિવારે અયોધ્યામાં રહેતા તમામ આરોપીઓના ઘરો પર એકસાથે દરોડા (Raids) પાડ્યા છે. મામલાની ગંભીરતાને જોતાં પોલીસ પુરાવા એકત્ર કરવા અને આખી ઘટના પાછળનું સત્ય બહાર લાવવા માટે તપાસ ખૂબ જ ઝડપી બનાવી રહી છે.
પોલીસની અલગ-અલગ ટીમોએ અયોધ્યામાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તપાસ ટીમો મુખ્ય આરોપી રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષ યાદવ, કરુણેશ પાંડે અને રમા શંકર મિશ્રાના નિવાસ્થાને પહોંચી હતી. કેસ સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજો કે પુરાવા મળી શકે તે માટે પોલીસ ટીમો દ્વારા ઘરના એક-એક ખૂણાને ખૂબ જ બારીકાઈથી ખંગાળવામાં આવી રહ્યા છે.
આ દરોડા દરમિયાન લોકલ મેજિસ્ટ્રેટની (Local Magistrate) હાજરીમાં પોલીસ આરોપીઓના પરિવારના સભ્યોની કડક પૂછપરછ કરી રહી છે. જો કે, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ અને પ્રતાપગઢના રહેવાસી અવિનાશ શુક્લાને બાદ કરતાં બાકીના તમામ આરોપીઓના પરિવારો પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત, પડોશીઓ પાસેથી પણ આરોપીઓની તાજેતરની પ્રવૃત્તિઓ અને શંકાસ્પદ હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.