દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલા હુમલો કરવામાં આવ્યો છે. તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા.

આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે ‘ભાજપ હારના ડરથી નર્વસ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર પરવેશ વર્માના ગુંડાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો કરીને તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં.’ આમ આદમી પાર્ટીએ કહ્યું, “ભાજપના લોકો… કેજરીવાલજી તમારા કાયર હુમલાથી ડરવાના નથી, દિલ્હીના લોકો તમને જડબાતોડ જવાબ આપશે.”આ દરમિયાન ભાજપે જવાબી કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. નવી દિલ્હી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે કેજરીવાલની કાળી કારે અમારા કાર્યકર્તાઓને કચડી નાખ્યા છે અને હું તેને જોવા માટે લેડી હાર્ડિંગ જઈ રહ્યો છું. પ્રવેશ વર્માએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી દિલ્હીમાં ચાલી રહેલી સરકારે માત્ર દિલ્હીમાં ભ્રષ્ટાચાર જ નથી ફેલાવ્યો પરંતુ દિલ્હીને બરબાદ પણ કરી દીધું છે. આજે હું દેશવાસીઓ અને દિલ્હીવાસીઓને અપીલ કરવા આવ્યો છું કે તમારે દિલ્હીને બચાવવી પડશે, 11 વર્ષમાં યમુના માત્ર ગંદી જ નહીં પરંતુ નાળા જેવી બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *