Site icon Time News

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, રાજુ કરપડા પછી આ મોટા નેતાનું રાજીનામું

ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત ઉથલપાથલ સર્જાઈ છે. આમ આદમી પાર્ટી (AAP) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના જનરલ સેક્રેટરી સાગર રબારી એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

માહિતી મુજબ સાગર રબારીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં વ્યક્તિગત અને રાજકીય કારણોને પગલે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જોકે, તેમણે વિસ્તૃત કારણો જાહેર કર્યા નથી, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રાજુ કરપડા એ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. સતત બે મોટા નેતાઓના રાજીનામા AAP માટે ગુજરાતમાં પડકારરૂપ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે.રાજકીય વિશ્લેષકો માને છે કે આવાં રાજીનામાઓ પાર્ટીની આંતરિક અસંતોષ તરફ ઈશારો કરે છે. આગામી સમયમાં આ ઘટનાઓનો આમ આદમી પાર્ટી ના સંગઠન પર શું પ્રભાવ પડશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.હાલમાં પાર્ટી તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ રાજ્યમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે.

અમદાવાદના શ્યામલમાં શાંગરીલા-2 આર્કેટના જિમમાં આગ: https://www.instagram.com/reel/DXn6DhiE9ZB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આગ લાગી, ઘણા વાહનો ઝપેટમાં આવ્યા,ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

Exit mobile version