ગુજરાતને દિવાળીની ભેટ: આજે સુરત ખાતેથી દોડશે પ્રથમ ‘અમૃત ભારત એક્સપ્રેસ’ ટ્રેન

દિવાળી અને છઠ પૂજાના તહેવારો પૂર્વે ભારતીય રેલવે દ્વારા ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યની પ્રથમ ‘અમૃત ભારત એક્સપ્રેસ’ ટ્રેનનું આજે (વર્ચ્યુઅલી) લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે.
આજે સુરત સ્ટેશન ખાતે આ ટ્રેનને વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લીલીઝંડી આપવામાં આવી. સુરત ઉધના સ્ટેશન પર આ ઐતિહાસિક ફ્લેગ ઑફ સેરેમનીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી વિશેષરૂપે હાજર રહ્યા. તેમની સાથે સી.આર. પાટીલ અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ પણ વાંચો, http://સંસ્કારીનગરી વડોદરામાં ફરી અશ્લિલ હરકત, યુનાઈટેડ વે ગરબા પંડાલમાં દુષ્કર્મના આરોપીએ જાહેરમાં કરી કિસ