અમદાવાદ પ્લેન દુર્ઘટના, વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકીંગ મિકેનિઝમમાં કોઈ ખામી જણાઈ નથી: સરકાર

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ અકસ્માતમાં ૨૬૦ લોકોના મોત થયા હતા. સરકારે સંસદને જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં જણાવ્યું કે વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકીંગ મિકેનિઝમમાં કોઈ ખામી જણાઈ નથી. અત્યારે અમેરિકાના સિએટલમાં થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિગતવાર તપાસ ચાલી રહી છે. મંત્રીએ કહ્યું કે મોટા હવાઈ અકસ્માતોની તપાસ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી.
તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ બાદ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અંતિમ રિપોર્ટ જાહેર કરશે. પાઇલટના વર્તન અંગે હજુ કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી.