અમદાવાદ: વસ્ત્રાપુર મોહિની ટાવરમાંથી NRIની લાશ મળી, કેનેડાથી આવ્યા હતા અમદાવાદ

Oplus_131072

અમદાવાદમાંથી એક રહસ્યમ્ય કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કેનેડાથી આવેલ વ્યક્તિની એક બહુમાળી ટાવરમાંથી લાશ મળી આવી છે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવરમાંથી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો છે. તપાસ કરતા માલુમ પડ્યું કે કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળી આવ્યો હતો. કેનેડાથી આવેલ કનૈયાલાલ હજુ ગઈકાલે જ કરમસદથી અમદાવાદ આવ્યા હતા. તેમની પત્નીએ ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહિ જેથી પત્નીન શંકા જતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. તપાસ કરતાં માલુમ પડ્યું કે ઘરમાંથી કેટલીક વસ્તુઓ પણ ગાયબ છે. વસ્ત્રાપુર પોલીસે ગૂનો નોંધી આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *