જામનગર મનપાના AAPના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે.
ગઈકાલે તબિયત લથડતા તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી છાતીમાં દુખાવો ઉપડતા માત્ર 38 વર્ષની નાની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ આકસ્મિક નિધનને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.