મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી ભીષણ આગ, 25થી વધુ ટેન્ટ બળીને ખાક

પ્રયાગરાજ મહાકુંભના સેક્ટર 19 નગરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી.. બનાવની જાણ થતા જ ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આગ એટલી ભીષણ હતી કે આસપાસના પુરા વિસ્તારમાં ધુમાડો છવાઇ ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યો હતો.
કહેવામાં આવે છે કે ભોજન બનાવતા સમયે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ આસપાસના પુરા વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. આગની ઘટનાને લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવ્યા હતા અને અધિકારીઓને આદેશ આપ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના પુરા વિસ્તારમાં આકાશમાં કાળો ધુમાડો છવાઇ ગયો હતો. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરા વિસ્તારને ખાલી કરાવડાવ્યો હતો. ફાયરની ટીમની સાથે સાથે NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.