
ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો હતો.
વાહન ખીણમાં ખાબકતા 5 લોકોના મોત થયા હતા અને ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગરથી નવ લોકો ફરવા માટે હિમાચલપ્રદેશ ગયા હતા. હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે અકસ્માત થયો હતો.
