Weather update: ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 50થી 60 કિમીની ઝડપે પવન સાથે વરસાદ ત્રાટકશે

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધુ ઘેરાયું છે. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી હવામાન ખાતાની આગાહી છે. રાજ્યમાં 24થી 31 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. 24 મેના રોજ અરબસાગરમાં વાવાઝોડું વધુ સક્રિય થશે 26મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે
વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયામાં પણ કરંટ જોવા મળશે. 31 તારીખે ઉનાના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. આ દરમ્યાન 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે