Ahmedabad: અમદાવાદમાં રાત્રે સૂતી વખતે અજાણ્યા શખ્સો દ્વારા જ્વલનશીલ પદાર્થ ફેંકાતા એકનું મોત, બે ઘાયલ

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ શરીર પર નખાતા એક યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત પામ્યા છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઝેરી કેમિકલ જેવો કોઈક પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં રાજસ્થાનના વતની શ્રવણ ગઢવીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
રાત્રીના સમયે આ ત્રણેય રૂમમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્વલનશીલ પદાર્થ રૂમમાં સૂતા 3 યુવકો પર નાખી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. મૃતક શ્રવણ ગઢવી એસી રિપેરિંગનું કામ કરતો હતો. હુમલાને મામલે ઓઢવ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો, PM Modi had a lion darshan: સાસણ ગીરમાં લાયન સફારી પાર્કમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન