AAP ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરીયાદ, જાણો શું હતો મામલો

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં મારામારી કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવા પામી છે. ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે અલગ-અલગ ત્રણ ફરિયાદ નોંધી છે. ચૈતર વસાવાએ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનો આરોપ તેમજ ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાનો ગુનો નોંધાયો છે. ત્રીજી ફરિયાદમાં મૃતકના પરિવારજન રોશન વસાવાને ચૈતર વસાવાએ માર માર્યો હોવાનો આરોપ હેઠળ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં 23 એપ્રિલે આગ લાગી હતી. આ ઘટનામાં બે કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીડીતોની મદદે ધારાસભ્ય ચૈતર વસાવા કંપની ખાતે દોડી ગયા હતા. તેમજ કંપની પાસે વળતરની માંગી કરી હતી. જેમાં એક મૃતકના સબંધીએ વિરોધ કરતા ધારાસભ્યએ પિત્તો ગુમાવી બેસતા લાફો માર્યો હતો. વિરોધ કરનારે ચૈતર વસાવાને પણ લાફો ઝીંક્યો હતો. આ સમગ્ર બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો. જેથી કંપની પરિસરમાં મામલો ઉગ્ર બની જવા પામ્યો હતો.

નવસારી જિલ્લામાં એક કંપની બહાર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન તંગદિલી હિંસક અથડામણમાં ફેરવાઈ હતી. પીડિતો અને સમર્થકો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા કંપની મેનેજરને મળવાની માંગ સાથે બહાર ધરણા પર બેઠા હતા. ઘટનાક્રમ દરમિયાન અંદર પ્રવેશ કર્યા બાદ મૃતકના કથિત સંબંધીએ ધારાસભ્યનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. શરૂઆતમાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ બગડતાં બોલાચાલી હાથાપાઈમાં ફેરવાઈ હતી. ગુસ્સે ભરાયેલા ચૈતર વસાવાએ વિરોધકર્તાને થપ્પડ મારી હતી, જેના જવાબમાં સામે પક્ષે પણ પ્રતિક્રિયા આપતા તેમને લાફો માર્યો હતો. સમગ્ર ઘટના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં બની હતી, છતાં ઘર્ષણ અટકાવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું જોવા મળ્યું. ઘટનાનો વીડિયો બનાવવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ સ્થિતિ નિયંત્રિત કરવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારો સાથે મુલાકાત કરવા સમર્થકો સાથે કંપની પહોંચતા સ્થિતિ તંગ બની હતી.

કંપની મેનેજમેન્ટે પીડિતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે, પરંતુ ચૈતર વસાવાએ મૃતકોના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની માગ કરી છે. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: PM મોદી ફરી આવશે ગુજરાત, વડોદરામાં નેશનલ હાઈવે પાસે બનેલા સરદારધામનું લોકાર્પણ કરે તેવી શક્યતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *