ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો તેલનો ભંડાર કેટલા દિવસ ચાલશે? જો યુદ્ધ ન અટક્યું તો શું ?

ભારત પોતાના તેલનો 80 ટકાથી વધારે હિસ્સો વિદેશથી મંગાવે છે, ત્યારે હવે ઈરાન અને ખાડી દેશમાં યુદ્ધના કારણે તેલની સપ્લાય રોકાઈ ગઈ છે. જેની અસર સીધી ભારના ઓઈલ ભંડાર પર પડશે. સરકારી સૂત્રો અનુસાર, અમારી સ્થિતિ મજબૂત છે. ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, અમારી પાસે 25 દિવસનો ક્રૂડ ઓઇલ ભંડાર ઉપલબ્ધ છે, અને 25 દિવસના ઉત્પાદન પરિવહન (જેમ કે પેટ્રોલ અને ડીઝલ) પણ રસ્તામાં છે.
મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે કોઈપણ વૈશ્વિક ઉથલપાથલથી ઉદ્ભવતી માંગને પહોંચી વળવા માટે ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર 74 દિવસ સુધી ટકી શકે છે. .
પુરીએ જણાવ્યું હતું કે ભારત ફક્ત ભૂગર્ભ ગુફાઓમાં જ નહીં પરંતુ તેની રિફાઇનરીઓમાં પણ તેના ભંડારનું મૂલ્યાંકન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અમારી ગુફાઓમાં પણ ભંડાર છે, અને અમે ટૂંક સમયમાં ઓડિશામાં કામગીરી શરૂ કરવાની આશા રાખીએ છીએ.
ઈરાન દ્વારા વૈશ્વિક તેલના પાંચમા ભાગ માટે મુખ્ય પરિવહન માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની શક્યતા સાથે ઊર્જા સંકટ અંગે ચિંતા વધી ગઈ છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર-ઇન-ચીફના સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીએ આજે (મંગળવારે) આ વાત પર ભાર મૂક્યો હતો, અને જાહેરાત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે જે કોઈ પણ તેમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તેને અમારા બહાદુર અને સમર્પિત નૌકાદળ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને સૈન્ય કર્મચારીઓ દ્વારા આગથી નાશ કરવામાં આવશે. જો તેઓ આ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે, તો તેઓ ચોક્કસપણે ગંભીર અને નિર્ણાયક મુકાબલાનો સામનો કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ પ્રદેશમાં તેમની પાઇપલાઇનોને પણ બંધ કરીશું અને આ પ્રદેશમાંથી તેલ નિકાસ અટકાવીશું, જેનાથી તેઓ મુશ્કેલીમાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકનો અબજો ડોલરના દેવાદાર છે. તેઓ આ પ્રદેશમાંથી તેલ મેળવવા માટે તરસ્યા છે. અમે તેલનું એક ટીપું પણ તેમના સુધી પહોંચવા દઈશું નહીં.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ગુજરાતમાં ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ! જુદા જુદા જિલ્લાઓમાં ડૂબી જવાની ઘટનામાં 13ના મોત