મહાકુંભમાં PM મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ:ભગવા વસ્ત્ર, હાથ- ગળામાં રુદ્રાક્ષની માળા, સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ છે. સીએમ યોગી અને કેટલાક સંતો પણ તેમની સાથે છે. તેઓ પ્રયાગરાજમાં લગભગ અઢી કલાક રોકાશે.

મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા. તેમણે ભગવા રંગના કપડા પહેર્યા હતા. મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી.

સંગમ સ્નાન કર્યા બાદ પીએમએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ હતી. મોદીએ લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી હતી.

પીએમ મોદી સ્નાન કરવા સંગમ નોજ પર પહોંચ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે સુરક્ષા ગાર્ડ પણ તેમની સાથે હાજર છે. વડાપ્રધાનને જોવા માટે સંગમના કિનારે ઘણા લોકો ભેગા થયા છે. પીએમ મોદીએ સંગમ નોજ પહોંચતા પહેલા હાથ હલાવતા લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીને ધર્મ અને આસ્થાને લઈને અલગ જ દ્રષ્ટિકોણ જોવા મળે છે. તેઓ ધાર્મિક સ્થળો પર ભક્તિમાં લીન જોવા મળે છે.સવારે PM મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. બમરૌલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે PMનું સ્વાગત કર્યું. 54 દિવસમાં PMની આ બીજી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ સાધુ-સંતોને પણ મળી શકે છે.

મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો NSG, SPGના કબજામાં લેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ અને આરએએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ગંગાના ઘાટ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે.

મોદીના આગમનના એક દિવસ પહેલા સીએમ યોગી મહાકુંભમાં પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મંગળવારે 75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *