Site icon Time News

કેન્દ્ર-દિલ્હી-યુપી સરકારમાં અઠવાડિયામાં બે દિવસ વર્કફ્રોમ હોમ:ત્રિપુરામાં 50% કર્મચારીઓ જ ઓફિસ આવશે, PMની અપીલની 12 રાજ્યોમાં અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલની અસર 12 રાજ્યોમાં જોવા મળી રહી છે. દિલ્હી સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે રાજધાનીની સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવશે. આ સાથે સરકાર ખાનગી કંપનીઓને પણ બે દિવસ વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ કરશે.

દિલ્હીના સીએમએ કહ્યું કે દિલ્હીના સરકારી અધિકારીઓને જે પેટ્રોલ અને ડીઝલ મળતું હતું તેમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવશે. દર સોમવારે મંડે મેટ્રો તરીકે કામ કરશે. એટલે કે અધિકારીઓ અને કર્મચારીઓ મેટ્રો દ્વારા ઓફિસ આવશે. દિલ્હીમાં જેટલી પણ સરકારી અધિકારીઓની કોલોની છે તેમના માટે 58 બસો તૈનાત કરવામાં આવશે, જે કોલોનીથી મેટ્રો સ્ટેશન સુધી ચલાવવામાં આવશે.

ભારત સરકારના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ હેઠળના ‘કેપેસિટી બિલ્ડિંગ કમિશન’ (CBC) દ્વારા કર્મચારીઓ માટે મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સત્તાવાર આદેશ મુજબ, ઓફિસના કામકાજમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ: વિભાગીય વડાઓને સત્તા આપવામાં આવી છે કે તેઓ તેમના સ્ટાફ માટે એવો રોસ્ટર તૈયાર કરે જેમાં કર્મચારીઓને અઠવાડિયામાં વધુમાં વધુ બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) કરવાની મંજૂરી મળી શકે. 50% હાજરી ફરજિયાત: ઓફિસમાં કોઈપણ સમયે ઓછામાં ઓછો 50% સ્ટાફ હાજર રહેવો અનિવાર્ય રહેશે. ફોન પર ઉપલબ્ધ રહેવું પડશે: જે કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે, તેમણે ફોન પર સતત ઉપલબ્ધ રહેવું પડશે અને જો જરૂર પડે તો ગમે ત્યારે ઓફિસ આવવા તૈયાર રહેવું પડશે. મુસાફરી અને કાર્યક્રમો પર પ્રતિબંધ: દિલ્હીની અંદર કે બહાર કોઈપણ પ્રકારની ફિઝિકલ ઈવેન્ટ્સ, વર્કશોપ કે કોન્ફરન્સ યોજવા પર હાલ રોક લગાવી દેવામાં આવી છે. કર્મચારીઓને દિલ્હી બહાર પ્રવાસ (Travel) ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. ઓનલાઈન મીટિંગ પર ભાર: તમામ જરૂરી મીટિંગો હવે વીડિયો કોન્ફરન્સિંગ (VC) અથવા ઓનલાઈન મોડ દ્વારા જ કરવાની રહેશે.

અન્ય રાજ્યોમાં પણ વર્કફ્રોમ હોમને પ્રોત્સાહન ત્રિપુરામાં ગ્રુપ C અને Dના માત્ર 50% સરકારી કર્મચારીઓ જ રોજ ઓફિસ આવશે, બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ગોવાના CM પ્રમોદ સાવંતે પેટ્રોલ બચાવવા, સરકારી ખર્ચ ઘટાડવા માટે પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા 50% ઘટાડવાનો નિર્ણય લીધો છે.

પંજાબમાં ગવર્નર ઓફિસમાં દર બુધવારે અધિકારીઓ ગાડીથી નહીં આવે. હરિયાણામાં સીએમ નાયબ સિંહ સૈની અઠવાડિયામાં એક દિવસ ગાડી વગર જશે.

આ પહેલા બુધવારે દિલ્હી, યુપી, એમપી, રાજસ્થાન અને બિહારમાં પણ VVIP કાફલામાં ગાડીઓની સંખ્યા ઓછી કરી દેવામાં આવી છે. પીએમ મોદી પણ બુધવારે કાફલો છોડીને માત્ર 2 ગાડીઓ સાથે નીકળ્યા. સામાન્ય રીતે પીએમના કાફલામાં 12 થી 15 ગાડીઓ હોય છે.

ત્રિપુરા સરકારે ખર્ચ અને પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે સરકારી કચેરીઓમાં ગ્રુપ C અને D ના માત્ર 50% કર્મચારીઓ જ રોજ ઓફિસ આવશે, બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. સરકારે તમામ વિભાગોને કર્મચારીઓની સાપ્તાહિક ડ્યુટી રોસ્ટર બનાવવાના નિર્દેશ આપ્યા છે. જરૂરી અને ઇમરજન્સી સેવાઓવાળા કર્મચારીઓ પર આ નિયમ લાગુ પડશે નહીં.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે પોતાના સરકારી કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે હવે તેમના કાફલામાં ફક્ત સુરક્ષા માટે જરૂરી વાહનો જ સામેલ થશે. CMએ એવું પણ નક્કી કર્યું છે કે તેઓ અઠવાડિયામાં એક દિવસ કોઈ પણ ગાડીનો ઉપયોગ નહીં કરે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા 50% ઘટાડવાનો નિર્ણય લીધો છે. હવે જિલ્લા પ્રવાસો દરમિયાન તેમની સાથે પહેલા કરતા અડધી ગાડીઓ જ ચાલશે. મુખ્યમંત્રીએ મંત્રીઓ, વીઆઈપી લોકો પાસેથી પણ સરકારી ગાડીઓનો ઓછો ઉપયોગ કરવા અને જરૂર હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે.

પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ કહ્યું, અમે અમારા અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી આ નિર્ણય લીધો છે કે દર બુધવારે અમારો કોઈ પણ અધિકારી ગાડીથી નહીં આવે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડવાનો આદેશ આપ્યો. પહેલા કાફલામાં 14-16 ગાડીઓ રહેતી હતી, પરંતુ બુધવારે દિલ્હી પ્રવાસ દરમિયાન તેમની સાથે માત્ર 5 ગાડીઓ જ સાથે હતી.

7. બિહાર: CM સમ્રાટ ચૌધરી ઇલેક્ટ્રિક ગાડીથી સચિવાલય પહોંચ્યા

બિહારના CM સમ્રાટ ચૌધરી બુધવારે કેબિનેટ બેઠક માટે ઇલેક્ટ્રિક ગાડીથી સચિવાલય પહોંચ્યા. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CMની ગાડી પાછળ પેટ્રોલ-ડીઝલવાળી લગભગ 20 ગાડીઓનો કાફલો હતો. જ્યારે હવે ઘણા મંત્રીઓ માત્ર એક કે બે ગાડીઓમાં જ કાર્યક્રમો અને બેઠકોમાં પહોંચી રહ્યા છે.

8. મધ્ય પ્રદેશ: VIP કાફલાઓ પર બ્રેક, CMએ ગાડીઓ ઘટાડી

મધ્ય પ્રદેશમાં હવે મંત્રીઓ અને VIP કાફલાઓમાં ગાડીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે. સાથે જ સરકારી પ્રવાસો અને ભ્રમણ દરમિયાન રેલીઓ પર પણ રોક રહેશે.

મુખ્યમંત્રી મોહન યાદવને Z+ કેટેગરીની સુરક્ષા મળી છે. આ કારણે તેમના કાફલામાં અત્યાર સુધી કુલ 13 વાહન સામેલ રહેતા હતા. નવા આદેશ બાદ ભોપાલમાં સ્થાનિક પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીના કાફલામાં હવે માત્ર 8 ગાડીઓ સામેલ થશે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે મંગળવારે 7 મોટા નિર્ણયો લીધા. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓનો કાફલો 50% ઘટશે. અઠવાડિયામાં એક દિવસ તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટ કે બસ-મેટ્રોથી મુસાફરી કરવી પડશે.

10. દિલ્હી: મંત્રી આશિષ સૂદ પહેલા મેટ્રો, પછી ઈ-રિક્ષાથી કાર્યક્રમમાં પહોંચ્યા

દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે મંગળવારે દિલ્હી મેટ્રોમાં INA થી કડકડડૂમા કોર્ટ સુધી મુસાફરી કરી. પછી મેટ્રો સ્ટેશનથી સૂરજમલ વિહારમાં આવેલા ‘CM શ્રી સ્કૂલ’ સુધી જવા માટે ઈ-રિક્ષામાં ગયા હતા. તેમણે ઝોન 1 અને 2 ની શાળાઓના પ્રમુખો સાથે એક સેશનમાં ભાગ લીધો.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આશિષ શેલારે કહ્યું કે તેઓ આ વર્ષે ફ્રાન્સમાં યોજાનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં. તેમણે કહ્યું કે પડકારજનક સમયમાં રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપતા વિભાગીય ખર્ચમાં ઘટાડો અને સંયમનો નિર્ણય લેવામાં આવ્યો છે.

12. ગોવા: CM સાવંતે પોતાના કાફલો ઘટાડ્યો

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે PM નરેન્દ્ર મોદીની અપીલ બાદ પોતાના કાફલો અડધો કરી દીધો છે. CMના કાફલામાં પહેલા 6 ગાડીઓ હતી, જેને હવે ઘટાડીને 3 કરી દેવામાં આવી છે. આ ત્રણ ગાડીઓમાં તે ગાડી પણ સામેલ છે જેમાં CM પ્રવાસ કરે છે.

Exit mobile version