
1 માર્ચથી તમે સિમ કાર્ડ વગર વોટ્સએપ, ટેલીગ્રામ અથવા સિગ્નલ જેવી ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો નહીં. નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં કોઈપણ છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, સિમ-બાઇન્ડિંગ (sim binding) સાથે જોડાયેલા નિયમોમાં કોઈ છૂટ કે રાહત આપવામાં આવશે નહીં. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે 1 માર્ચથી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન ચલાવવા માટે તમારા મોબાઇલમાં સિમ કાર્ડ હોવું ખૂબ જરૂરી બની જશે.
હાલમાં ઘણા લોકો વોટ્સએપનો સિમ કાર્ડ વગર પણ ઉપયોગ કરે છે. Signal અને Telegramના કિસ્સામાં આવું ઘણું વધારે છે. 1 માર્ચથી કોઈ પણ વ્યક્તિ આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સનો સિમ કાર્ડ વગર ઉપયોગ કરી શકશે નહીં. કમ્પ્યુટર પર WhatsApp ચલાવનારા લોકોનું વેબ વર્ઝન દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે અને તેમને દર વખતે ફરીથી લોગ-ઇન કરવું પડશે.
તાજેતરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, WhatsAppએ સિમ-બાઇન્ડિંગ પર કામ શરૂ કરી દીધું છે. WhatsAppના બીટા વર્ઝન 2.26.8.6માં આનાથી જોડાયેલું એક પોપ-અપ જોવા મળ્યું છે. આનો અર્થ એ થાય છે કે WhatsApp, DoT એટલે કે ટેલિકોમ વિભાગના આદેશ પર કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એવું માની શકાય કે ટૂંક સમયમાં જ ભારતીય યુઝર્સ માટે આ ફીચર રજૂ કરી દેવામાં આવશે. આ પછી યુઝર્સ સિમ કાર્ડને ફોનમાં નાખ્યા વગર, તે નંબરથી જોડાયેલું એકાઉન્ટ ફોનમાં નહીં ચલાવી શકે. સાથે જ ફોનમાંથી સિમ કાઢવામાં આવશે તો વોટ્સએપ પણ લોગઆઉટ થઈ જશે.
આ ફીચર સાથે જોડાયેલું એક પોપ-અપ અથવા નોટિફિકેશન WA Beta Infoએ તેમના એક્સ અકાઉન્ટ પર શેર કર્યું છે. WhatsAppના આવનારા ફીચર્સ વિશે માહિતી આપનાર આ એક વિશ્વસનીય સ્ત્રોત છે. આ પોપ-અપ WhatsAppના બીટા વર્ઝન 2.26.8.6માં જોવા મળ્યું છે, જ્યાં સ્પષ્ટ દેખાય છે કે યુઝરને ભારત સરકારના આદેશોને કારણે ફોનમાં તેમના અકાઉન્ટને ઍક્સેસ કરવા માટે તે અકાઉન્ટ સાથે જોડાયેલા નંબરનું સિમ લગાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.
કમ્પ્યુટર પર દર 6 કલાકે લોગ આઉટઃ DoTના આદેશ અનુસાર, જે લોકો WhatsAppનો ઉપયોગ કમ્પ્યુટર પર લિંક્ડ ડિવાઇસ તરીકે કરે છે, તેમનું સેશન દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે. WhatsApp કમ્પ્યુટર પર ચાલતા સેશનને દર 6 કલાકે લોગઆઉટ કરી દેશે. ત્યારબાદ કમ્પ્યુટર પર WhatsApp વાપરવા માટે ફરીથી મુખ્ય એપથી તેને લિંક કરવું પડશે.
સિમ બાઇન્ડિંગ શું છે?: ગયા વર્ષે DoTએ મેસેજિંગ એપ્સને આદેશ આપ્યો હતો કે તેઓ તેમની એપમાં સિમ બાઇન્ડિંગ ફીચર રજૂ કરે. સિમ બાઇન્ડિંગનો અર્થ એ થાય છે કે તમારા ફોનમાં તે અકાઉન્ટનું સિમ હોવું જોઈએ, જેને તમે ફોનમાં ચલાવવા માંગો છો. આનો અર્થ એ થાય છે કે લોકો સિમ કાર્ડને ફોનમાં લગાવ્યા વગર તે નંબરનું વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે નહીં.
આ લોકોની સુરક્ષા અને સાયબર ફ્રોડ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફોનમાં સિમ નાખ્યા વગર પણ તે નંબરના અકાઉન્ટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં WhatsApp ચલાવવામાં યુઝર્સને થોડી અસુવિધા થશે. આ આદેશ WhatsApp, Telegram અને Signal જેવા તમામ મેસેજિંગ એપ્સ પર લાગુ પડે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:મકર સહિત આ રાશિને કાર્ય સફળતા મળશે, જાણો ટેરોટ રાશિફળ
