
Vande Mataram Bill: સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રના 9મા દિવસે લોકસભાએ વંદે માતરમ્ બિલને મંજૂરી આપી દીધી છે. આ પહેલા આ વિધેયક રાજ્યસભામાંથી 29 જુલાઈના રોજ પસાર થઈ ચૂક્યું હતું. હવે બંને ગૃહમાંથી પસાર થયા બાદ તેને કાયદો બનવાનો માર્ગ સાફ થઈ ગયો છે. બંને ગૃહમાંથી પાસ થયા બાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ બિલ કાયદો બની જશે. રાષ્ટ્રપતિની સંમતિ માટે આ બિલ મોકલવામાં આવે છે.
વિપક્ષના શોરબકોર વચ્ચે વંદે માતરમ્ બિલ 30 જુલાઈ (ગુરુવાર)ના રોજ પાસ થઈ ગયું. આ સાથે જ લોકસભાની કાર્યવાહી આગામી દિવસ એટલે કે 31 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સુધારો) વિધેયક 2026 વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. વોટિંગ બાદ આ બિલ પાસ કરી દેવાયું. આ બિલ રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ અધિનિયમ 1971માં વધુ સુધારો કરવા માંગે છે.
