Site icon Time News

“સંકલ્પ પત્ર” :50 હજાર પાક્કા મકાન, 17 નવા બ્રિજ, 8 લેનનો સુભાષ બ્રિજ…! અમદાવાદ-રાજકોટમાં ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ અને રાજકોટના વિકાસ માટે પોતાના ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યા છે. આ સંકલ્પ પત્રમાં મેટ્રો ટ્રેન, AI આધારિત સુવિધાઓ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપના આ સંકલ્પ પત્રોમાં આધુનિક ટેકનોલોજી (AI), પર્યાવરણ અને મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદ ભાજપનો સંકલ્પ પત્ર મહદઅંશે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના બજેટનું પ્રતિબિંબ હોય તેવું જણાય છે. સાબરમતી રિવરફ્રન્ટને હવે ડફનાળાથી ઈન્દિરા બ્રિજ અને ત્યાંથી છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શહેરમાં 100 લેફ્ટ ટર્ન ખુલ્લા મુકાશે અને અમદાવાદને ફાટકમુક્ત બનાવવામાં આવશે. શહેરનું ગ્રીન કવર 12.50% થી વધારીને 18% કરવાનો લક્ષ્યાંક છે. પ્રદૂષણ ઘટાડવા 2030 સુધીમાં 3000 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. મેનિફેસ્ટોમાં ‘કોમનવેલ્થ ગેમ્સ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક વોર્ડમાં મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવવામાં આવશે. શહેરને સ્લમ મુક્ત કરવા 50,000 નવા મકાનો બનાવવાનું લક્ષ્ય છે. સાથે જ, 2026 થી 2028 દરમિયાન કુલ 28 નવા ફાયર સ્ટેશન ઉભા કરાશે.

અમદાવાદમાં ચૂંટણી ઢંઢેરાના મહત્વપૂર્ણ મુદ્દાઓ…

રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને અનિરુદ્ધભાઈ દવેએ પત્રકાર પરિષદ સંબોધી રાજકોટના વિકાસનો રોડમેપ રજૂ કર્યો હતો. રાજકોટમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. દરેક નાગરિકને દૈનિક 20 મિનિટ શુદ્ધ પાણી અને દરેક વોર્ડમાં આધુનિક ડ્રેનેજ-સફાઈની સુવિધા. જન્મ-મરણના દાખલા અને આધાર કાર્ડમાં સુધારા જેવી કામગીરી ઓનલાઇન થશે, જેથી લોકોને લાઈનોમાં ઉભા રહેવું ન પડે. દરેક ઝોન દીઠ મિની હોસ્પિટલ અને સ્માર્ટ હાઈસ્કૂલોનું નિર્માણ થશે. સોલાર પેનલનો ઉપયોગ કરનારા અને સિનિયર સિટીઝન માટે ટેક્સમાં 2% વિશેષ વળતર અપાશે.

રાજકોટ સંકલ્પ પત્રના મુદ્દાઓ

જીતુ વાઘાણીનું નિવેદન
સંકલ્પ પત્ર રજૂ કરવાની સાથે જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, એટલે જ તેમણે પોતાના ઉમેદવારોને બેંગ્લોર લઈ જવા પડે છે. જે પક્ષ પોતાના ફોર્મ પણ બરાબર ભરી શકતો નથી, તે ચૂંટણી પંચ પર આરોપ લગાવે છે. લોકો ભાજપના વિકાસ પર મહોર મારશે તે નક્કી છે. 700 બેઠકો બિનહરીફ થવા મુદ્દે તેમણે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, ભાજપના કામ જોઈને લોકોએ સામેથી સમર્થન આપ્યું છે.

Kalolના Santej વિસ્તારમાં કથિત પત્રકાર બની ખંડણી વસૂલતી ટોળકીનો ભંડાફોડ – https://www.instagram.com/reel/DXLunuBjiG6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગાયિકા કાજલ મહેરિયાએ નાત બહાર લગ્ન કર્યાં, ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

Exit mobile version