Site icon Time News

રશિયન પ્રેસિડેન્ટ પુતિન આ દિવસે બનશે ભારતના મહેમાન, સત્તાવાર જાહેરાત કરાઇ

 ભારત અને રશિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની દ્વિદિવસીય મુલાકાતે આવશે. આ મુલાકાત 23મા ભારત–રશિયા વાર્ષિક શિખર સંમેલનનો ભાગ છે, જે બંને દેશો વચ્ચેનો સૌથી ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય સંવાદ મંચ છે.

ક્રેમલિન અને ભારતના વિદેશ મંત્રાલયે પુતિનની મુલાકાતની પુષ્ટિ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણના અનુસંધાનમાં પુતિન ભારત આવી રહ્યા છે. બંને દેશોના સંબંધોના આગામી તબક્કાને મજબૂત બનાવવા માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ શિખર સંમેલન દરમિયાન બંને દેશો ગયા વર્ષના સહકારની સમીક્ષા કરશે, આગામી વર્ષ માટેની વ્યૂહરચના નક્કી કરશે, અને વિવિધ મંત્રાલયો વચ્ચેની બેઠકઓ દ્વારા નવા કરારોને અંતિમરૂપ અપાશે. આ સંમેલન ભારત–રશિયા સંબંધોની સૌથી મહત્વપૂર્ણ પરંપરાઓમાંની એક છે.

Exit mobile version