
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે, ત્યારે જ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ મુલાકાત દરમિયાન PM મોદી ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ સહિત કુલ ₹1,707 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જોકે, હવામાનની આગાહીને કારણે તેમના કાર્યક્રમો પર અસર થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. આજે સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ‘રેડ એલર્ટ’ સાથે ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલથી વરસાદનું જોર વધશે અને 25 ઓગસ્ટ, એટલે કે વડાપ્રધાનની મુલાકાતના દિવસે, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન, PM મોદી ગુજરાતને ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ અને ₹307 કરોડના માર્ગ અને ભવન વિભાગના પ્રોજેક્ટ્સ સહિત કુલ ₹1,707 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.
