Site icon Time News

રેલવે મુસાફરો ખાસ વાંચે, 5 જુલાઈથી કેટલીક ટ્રેનો કાલુપુરથી નહીં ઉપડે

અમદાવાદ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન, કાલુપુર સ્ટેશનની કાયાપલટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રી-ડેવલપમેન્ટના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે RLDA દ્વારા આ કામ માટે 5 જુલાઈ 2025થી 12 સપ્ટેમ્બર 2025 સુધી, એટલે કે 70 દિવસ સુધી પાઇલિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ કામગીરીને કારણે આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનોના ટર્મિનલ હંગામી ધોરણે બદલવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનો હવે અસારવા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચલાવવામાં આવશે.

Exit mobile version