
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આદમપુર એરબેઝની મુલાકાતે પાકિસ્તાનના ઘણા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. મંગળવારે સવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા ત્યારે વાયુસેનાના જવાનોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. આદમપુરમાં પીએમના આગમન અંગે જે વીડિયો સામે આવ્યો છે તેમાં પીએમ મોદી સૈનિકોને મળતા જોવા મળે છે. ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 આનાથી થોડા અંતરે તૈનાત છે. S-400 ઉપરાંત, ફાઇટર પ્લેન MiG-29 પણ અહીં દેખાય છે.
PM મોદીએ કહ્યું કે, પાકિસ્તાનમાં એવો કોઇ ખુણો નથી જ્યા બેસીને આતંકવાદી રાહતનો શ્વાસ લઇ શકે. અમે ઘરમાં ઘુસીને મારીશું અને ટકવાની એક પણ તક નહીં આપીયે. આપણા ડ્રોન્સ, આપણી મિસાઇલો તેના વિશે વિચારીને પાકિસ્તાનને કેટલાક દિવસ સુધી ઊંઘ નથી આવી.
આ વીડિયોમાં S-400 ની હાજરી પાકિસ્તાનના ઘણા દાવાઓને ચકનાચૂર કરે છે. 10 મેના રોજ, પાકિસ્તાને ખોટો દાવો કર્યો હતો કે પાકિસ્તાની વાયુસેનાના JF-17 જેટ્સે આદમપુર એરબેઝ પર તૈનાત ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 ને નષ્ટ કરી દીધી છે. આ માટે પાકિસ્તાને હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ તસવીરોએ પાકિસ્તાનના દાવાને જુઠ્ઠા સાબિત કરી દીધા છે.દરેક ભારતીયનું માથુ ગર્વથી ઉંચુ કરી નાખ્યું છે. તમે ઇતિહાસ રચી દીધો છે. હું આજે સવારે સવારે તમારા વચ્ચે આવ્યો છું તમારા દર્શન કરવા માટે. જ્યારે વીરોના પગ ધરતી પર પડે છે તો ધરતી ધન્ય થઇ જાય છે. જ્યારે વીરોના દર્શનની તક મળે છે તો જીવન ધન્ય બની જાય છે માટે હું આજે સવારે સવારે તમારા દર્શન કરવા માટે આવ્યો છું.
આજથી અનેક દાયકા પછી પણ જ્યારે ભારતના આ પરાક્રમની ચર્ચા થશે તો તેના સૌથી મુખ્ય અધ્યાય તમે અને તમારા સાથી હશે. તમે બધા વર્તમાનની સાથે દેશની આગામી પેઢીઓ અને તેમના માટે નવી પ્રેરણા બની ગયા છો. હું વીરોની આ ધરતી પરથી આજે એરફોર્સ, નેવી અને આર્મીના તમામ જાંબાઝો BSFના શૂરવીરોને સલામ કરૂ છું.
દુનિયાએ જય ઘોષની શક્તિ જોઈ છે – પીએમ મોદી
આદમપુર એરબેઝ પર પીએમ મોદીએ કહ્યું, “દુનિયાએ હમણાં જ જય ઘોષની શક્તિ જોઈ છે. આ દેશના દરેક નાગરિકનો અવાજ છે જે દેશ માટે જીવવા માંગે છે, દેશ માટે કંઈક કરવા માંગે છે.”
પીએમ મોદીએ કહ્યું, “ભારત માતા કી જયના નાદથી દુશ્મનનું હૃદય કંપાય છે. તમે દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. ભારત માતા કી જય એ દરેક નાગરિકનો અવાજ છે. ભારત માતા કી જય મેદાનમાં અને મિશનમાં પણ ગુંજી ઉઠે છે.”
પીએમ મોદીએ કહ્યું, “આજે ઓપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે. આ ઓપરેશનમાં, દરેક ભારતીય તમારી સાથે ઉભો હતો. આજે દેશનો દરેક નાગરિક તેના સૈનિકો અને તેમના પરિવારોનો આભારી છે. તેઓ તેમના ઋણી છે. ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય લશ્કરી ઓપરેશન નથી. તે ભારતની નીતિ, ઇરાદા અને નિર્ણાયકતાનો સંગમ છે.”PM મોદીએ કહ્યું, ‘તમારા પરાક્રમને કારણે આજે ઓપરેશન સિંદૂરની ગૂંજ દરેક ખુણામાં સાંભળવા મળે છે. આ આખા ઓપરેશ દરમિયાન દરેક ભારતીય તમારી સાથે ઉભો રહ્યો. દરેક ભારતીયની પ્રાર્થના તમારી સાથે રહી. આજે દરેક દેશવાસી પોતાના સૈનિકો અને તેમના પરિવાર પ્રત્યે કૃતઘ્ન છે તેમનો રણી છે. ઓપરેશન સિંદૂર કોઇ સામાન્ય સૈન્ય અભિયાન નથી. આ ભારતની નીતિ, નિયત અને નિર્ણાયક ક્ષમતાની ત્રિવેણી છે. ભારત બુદ્ધની ધરતી છે અને ગુરુ ગોવિંદસિંહજીની પણ ધરતી છે.’
PM મોદીએ કહ્યું કે, ‘તે કાયરોની જેમ છુપાઇને આવ્યા અને ભૂલી ગયા કે તેમને જેમને લલકાર્યા છે તે હિન્દની સેના છે. તમે સામેથી હુમલો કરીને માર્યા. તમે આતંકના તમામ મોટા અડ્ડાઓને માટીમાં ભેળવી દીધા. નવ આતંકી ઠેકાણા બરબાદ કર્યા. 100થી વધુ આતંકીઓના મોત થયા, આતંકના આકાઓને હવે સમજાઇ ગયું છે ભારત તરફ નજર ઉઠાવવાનો એક જ અંજામ હશે તબાહી. ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહાવવાનો એક જ અંજામ હશે વિનાશ અને મહાવિનાશ. જે પાકિસ્તાની સેનાના વિશ્વાસે જે આતંકી બેઠા હતા ભારતની સેના, ભારતનું એરફોર્સ અને ભારતની નેવીએ તે પાકિસ્તાની સેનાને પણ ધૂળ ચટાડી દીધી.’
ઓપરેશન સિંદૂરથી તમે દેશનું આત્મબળ વધાર્યુ. દેશને એકતાના સુત્રમાં બાંધી છે. તમે ભારતની સરહદોની રક્ષા કરી છે. ભારતના સ્વાભિમાનને નવી ઊંચાઇ આપી છે. તમે તે કામ કર્યું જે અભૂતપૂર્વ છે, અકલ્પનિય છે, અદભુત છે. આપણી એરફોર્સે પાકિસ્તાનમાં એટલા ડીપ આતંકના અડ્ડાઓને ટાર્ગેટ કર્યા, માત્ર 20-25 મિનિટની અંદર સરહદ પાર નકશાઓને ભેદવા બિલકુલ પિન પોઇન્ટ ટાર્ગેટને હિટ કરવા આ માત્ર એક મોર્ડન ટેકનોલોજીથી લેસ પ્રોફેશનલ ફોર્સ જ કરી શકે છે. તમારી સ્પિડ અને પ્રિસિજન તે લેવલની હતી કે દુશ્મન ડરી ગયો. તેને ખબર જ ના પડી કે ક્યારે તેની છાતી ચારણી બની ગઇ. અમારૂ લક્ષ્ય પાકિસ્તાનની અંદર ટેરર હેડક્વાર્ટરને હિટ કરવાનો હતો. આતંકીઓને હિટ કરવાનો હતો પરંતુ પાકિસ્તાને પોતાના પેસેન્જર વિમાનોને સામે કરીને જે ષડયંત્ર રચ્યુ. હું કલ્પના કરી શકું છું કે સિવિલિયન એરક્રાફ્ટ દેખાઇ રહ્યું છે મને ગર્વ છે તમે સાવધાનીથી, સતર્કતાથી સિવિલિયન એરક્રાફ્ટને નુકસાન કર્યા વગર કમાલ કરીને બતાવી તેનો જવાબ આપી દીધો.
PM મોદીએ કહ્યું કે, હું ગર્વ સાથે કહી રહ્યો છું કે તમે લક્ષ્યો પર ખરા ઉતર્યા. પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા અને તેમના એરબેઝ જ તબાહ નથી થયા પણ તેમના નાપાક ઇરાદાઓ અને તેમના દુસાહસ બન્નેની હાર થઇ છે. ઓપરેશન સિંદૂરથી ડરેલા દુશ્મને આ એરબેઝની સાથે સાથે આપણા અનેક એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, વારંવાર તેમને અમને ટાર્ગેટ કર્યા પણ પાકના નાપાક ઇરાદા દરેક વખત નિષ્ફળ રહ્યાં. પાકિસ્તાનના ડ્રોન, તેના યુએવી, પાકિસ્તાનના એરક્રાફ્ટ અને મિસાઇલો આપણા સશક્ત એર ડિફેન્સ સામે બધા ઢેર થઇ ગયા. હું દેશના તમામ એરબેઝ સાથે જોડાયેલી લીડરશિપની, ભારતીય વાયુસેનાના એર વોરિયરની પ્રશંસા કરૂ છું. તમે ખરેખર ઘણુ સારૂ કામ કર્યું. આતંક વિરૂદ્ધ ભારતની લક્ષ્મણરેખા હવે એકદમ સ્પષ્ટ છે. હવે કોઇ ટેરર એટેક થયો તો ભારત જવાબ આપશે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક સમયે જોયુ છે, એરસ્ટ્રાઇક સમયે જોયું છે અને હવે તો ઓપરેશન સિંદૂર ભારતનું નવુ ન્યૂ નોર્મલ છે.
ભારતે હવે ત્રણ સુત્ર નક્કી કર્યા છે. પ્રથમ ભારત પર આતંકી હુમલો થયો તો આપણે આપણી રીતે, પોતાની શરતો ઉપર, પોતાના સમય પર જવાબ આપીશું.
બીજુ કોઇ પણ ન્યુક્લિયર બ્લેકમેઇલ ભારત નહીં સહે.
ત્રીજુ અમે આતંકથી પરસ્ત સરકાર અને આતંકના આકાઓને અલગ અલગ નહીં જોઇએ. દુનિયા પણ ભારતના આ નવા રૂપને, આ નવી વ્યવસ્થાને સમજતા આગળ વધી રહી છે.
ઓપરેશન સિંદૂરની સફળતા
પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાએ ભારત પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતાં. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતાં. ડીજીએમઓએ ગઈકાલે આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ચીનની મિસાઈલ પીએલ-15 અને તુર્કીયેના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. તેમજ અન્ય નાના-મોટા ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો, હાથીજણના રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી
