
પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. જોકે, તેઓ કયા વિષય પર વાત કરશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. નવા GST દરો આવતીકાલે, સોમવાર (22 સપ્ટેમ્બર) થી અમલમાં આવવાના છે. એવી અટકળો છે કે મોદી આ મુદ્દા પર ચર્ચા કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધન દરમિયાન મહત્વપૂર્ણ આર્થિક અને નીતિગત નિર્ણયોની જાહેરાત થવાની ધારણા છે, જેમાં ટેરિફ, H-1B વિઝા અને GST સુધારા જેવા મુદ્દાઓનો સમાવેશ થવાની સંભાવના છે.
પ્રધાનમંત્રીનું સંબોધન ટેલિવિઝન, રેડિયો અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. સંબોધનનો વિગતવાર વિષય હાલમાં જાહેર કરવામાં આવી રહ્યો નથી, પરંતુ તે દેશના અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોને સ્પર્શે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો, નવલી નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકો માટે નવા નિયમો જાહેર, જાણી લેજો નવી ગાઇડલાઇન
