
દરવર્ષની જે આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાનને પ્રસાદનો ભોગ ચઢાવ્યો. પીએમ મોદીએ મોકલાવેલો પ્રસાદ મંદિરમાં લવાયો અને ભગવાનને ધરાવાયો. પીએમ મોદીએ મગ, જાંબુ, કાકડી, કેરી, દાડમ અને ડ્રાયફુટનો પ્રસાદ મોકલ્યો.
મહત્વનું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ દર વર્ષે જગન્નાથ મંદિરમાં રથયાત્રાના પાવન અવસરે પ્રસાદ ધરાવતા હતા. અને વડાપ્રધાન બન્યા ત્યાર બાદ પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે.
