Site icon Time News

રાજસ્થાનમાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ:મોદીએ કહ્યું- ભારત 21મી સદીના સૌથી મોટા ઉર્જા સંકટમાંથી બહાર આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) રાજસ્થાનની મુલાકાતે છે. તેઓ બલોતરાના પચપદરા ખાતે બપોરે લગભગ 12 વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દેશની અત્યાધુનિક રિફાઇનરીના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને નિષ્ણાતો સાથે વાતચીત કરી. બાલોતરાના પચપદરામાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ.. તેમણે જયપુર મેટ્રોના ફેઝ-2નો શિલાન્યાસ પણ (વર્ચ્યુઅલ) કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે લગભગ 10.40 વાગ્યે જોધપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને નવી સુવિધાનું નિરીક્ષણ કર્યું. તેમણે ‘ઉડાન’ (UDAN) યોજનાનો પણ શુભારંભ કર્યો અને આ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

મોદીએ કહ્યું- હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું

વડાપ્રધાન મોદીએ કહ્યું, આ કાળઝાળ ગરમીમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું ભેગુ થવું એ ભાજપ સરકારના પ્રયાસોમાં તમારા અતૂટ વિશ્વાસને દર્શાવે છે. આ સમર્થન બદલ હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું.

આજે, રાજસ્થાનની આ જ ધરતી પરથી ભારતે વિકસિત અને આત્મનિર્ભર બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ દિવસ એ વાતનો સાક્ષી છે કે ભાજપની સરકારો માત્ર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરીને અટકી જતી નથી. અમે તે પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે રાત-દિવસ કામ કરીએ છીએ.

વડાપ્રધાને કહ્યું- બે મહિના પહેલા રિફાઇનરીમાં થયેલી દુર્ઘટના બાદ આટલી ઝડપથી કામ પૂર્ણ કરવું એ સખત પરિશ્રમનું પરિણામ છે. સૌએ સાબિત કરી દીધું છે કે પડકાર ગમે તેટલો મોટો હોય, ‘નવું ભારત’ ન તો પોતાના સંકલ્પથી ડગે છે અને ન તો પોતાની ગતિ ધીમી પાડે છે.

રાજસ્થાને ગંભીર જળ સંકટનો સામનો કર્યો છે. કોંગ્રેસે જળ સંકટ દુર કરવા માટે ક્યારેય કોઈ નક્કર પગલાં લીધાં નથી. ભાજપ પ્રાદેશિકતા કે ભાગલાવાદી રાજકારણમાં માનતું નથી; તે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરે છે.

મોદીએ કહ્યું કે યુદ્ધ દરમિયાન અન્ય દેશો સાથેની ભારતની મિત્રતા અમૂલ્ય સાબિત થઈ. અગાઉ ભારત 25-26 દેશો પાસેથી ઈંધણ મેળવતું હતું, પરંતુ આ સંખ્યા વધીને 40 થઈ ગઈ. યુદ્ધ દરમિયાન ભારતની ડિપ્લોમેસીનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

પચપદરા રિફાઇનરીના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, માત્ર પેટ્રોલ અને ડીઝલને કારણે કંપનીઓને એપ્રિલથી જૂન વચ્ચે ₹75,000 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું. આ રકમ એટલી મોટી હતી કે તેનાથી એક નવી રિફાઇનરી બનાવી શકાય તેમ હતી. આ નુકસાનની ભરપાઈ સરકારી તિજોરીમાંથી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં થયેલા યુદ્ધને કારણે 21મી સદીનું સૌથી મોટું ઊર્જા સંકટ સર્જાયું હતું. જોકે, ભારતના દ્રઢ સંકલ્પને કારણે આટલા મોટા સંકટને પણ સંભાળી લીધું. આ સમયગાળા દરમિયાન ભારતે પોતાના સંસાધનોનો અસરકારક ઉપયોગ કર્યો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે બે મહિના પહેલા રિફાઇનરીમાં થયેલી દુર્ઘટના બાદ આટલી ઝડપથી કામ પૂર્ણ કરવું એ સખત મહેનતનું પરિણામ છે. આ બાબતે સાબિત કરી દીધું છે કે પડકાર ગમે તેટલો મોટો હોય, નવું ભારત ન તો પોતાના સંકલ્પથી ડગે છે કે ન તો પોતાની ગતિ ધીમી પાડે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું- ભાજપની સરકારો માત્ર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરીને તેને અધવચ્ચે છોડી દેતી નથી. તેના બદલે, તેઓ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે રાત-દિવસ અવિરતપણે કામ કરે છે. અકસ્માત બાદ કામનું ઝડપી પૂર્ણ થવું એ આ વાતનો પુરાવો છે.

નવું ભારત ન તો પોતાના સંકલ્પથી ડગમગે છે અને ન તો પોતાની ગતિ ધીમી પાડે છે. રાજસ્થાનમાં વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત થઈ રહ્યા છે. જોધપુરમાં નવા ટર્મિનલનું આર્કિટેક્ચર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.

આ જ વર્ષે 20 એપ્રિલે રિફાઇનરીના બે ભાગો ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) અને વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટ (VDU) માં આગ લાગી હતી. આ ઘટના 21 એપ્રિલે રિફાઇનરીના ઉદ્ઘાટન પહેલાના એક દિવસ પહેલા બની હતી. દુર્ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીનો અહીં આવવાનો કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

Exit mobile version