Site icon Time News

SG હાઈ-વે પર વાહનચાલકોને મોટી રાહત: પેલેડિયમ બાદ હવે કારગિલ ચાર રસ્તા પણ સિગ્નલ ફ્રી, ટ્રાફિક સમસ્યા હળવી કરવા નવો પ્રયોગ

એસજી હાઈવે પર વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અને અસરકારક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પેલેડિયમ મોલ ચાર રસ્તા ખાતે ‘કેપ્સ્યૂલ ફોર્મ્યુલા’ ની શાનદાર સફળતા બાદ, હવે કારગિલ ચાર રસ્તાને પણ સિગ્નલ ફ્રી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ૧૫ દિવસ પહેલાં એસજી હાઈવે પર આવેલા પલેડિયમ મોલ ચાર રસ્તાનાં સિગ્નલ બંધ કરીને ટ્રાફિક નિયમન માટે કેપ્સ્યૂલ ફોર્મ્યુલા શરૂ કરવામાં આવી હતી. આ પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે.

હાલ પેલેડિયમ જંક્શન પરથી રોજના સરેરાશ 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે. ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરિયાના જણાવ્યા અનુસાર, પેલેડિયમ પાસે કેપ્સ્યૂલ ફોર્મ્યુલાનો અમલ શરૂ કર્યો તે પહેલાં વાહનોએ સિગ્નલ પર 2 મિનિટ સુધી ઊભા રહેવું પડતું હતું. પરંતુ આ નવી સિસ્ટમને કારણે હવે વાહનોનો વેઇટિંગ ટાઇમ 2 મિનિટથી ઘટીને 1 મિનિટ થઈ ગયો છે. દરેક વાહનચાલકની 1 મિનિટ બચવાની સાથે મોટા પ્રમાણમાં ઈંધણની પણ બચત થઈ રહી છે.

કારગિલ ચાર રસ્તા પર આજથી અમલ શરૂ
પેલેડિયમની સફળતા બાદ હવે રોજનાં 50 હજારથી વધુ વાહનોજ્યાથી પસાર થાય છે, તેવા કારગિલ ચાર રસ્તાને પણ સિગ્નલ ફ્રી કરવામાં આવી રહ્યા છે. પોલીસે AMC ની મદદથી કારગિલ ચાર રસ્તા પર બ્રિજ નીચે ડામરનો રોડ બનાવી દીધો છે અને ત્યાં બેરિકેડ મૂકીને પ્રાયોગિક ધોરણે મંગળવાર સવારથી કેપ્સ્યૂલ ફોર્મ્યુલાનો અમલ શરૂ કરાશે.

શું છે આ સિગ્નલ ફ્રી ‘કેપ્સ્યૂલ ફોર્મ્યુલા’?
આ સિગ્નલ ફ્રી યુ-ટર્ન મોડલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે વાહનો ક્યાંય સામસામે ટકરાતાં નથી અને ટ્રાફિક સતત ચાલતો (Moving) રહે છે. 

સીધો જતો ટ્રાફિક

જમણો વળાંક

ડાબો વળાંક

આ મોડલ દેશનાં અન્ય 5 શહેરોમાં પણ સાબિત થયું છે સફળ
અમદાવાદ પહેલાં દેશનાં અન્ય મોટા શહેરોમાં પણ આ ફોર્મ્યુલા ટ્રાફિક ઘટાડવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે.

સફળ કેમ? કારણ કે વાહનોને ક્યાંય ઊભા રહેવું પડતું નથી. ભલે વાહને 100થી 200 મીટર વધુ આગળ જવું પડે, પણ સિગ્નલ પર ઊભા ન રહેવું પડતા સમય અને પેટ્રોલ બંનેની મોટી બચત થાય છે.

આ મોડલની સૌથી મોટી ખાસિયત એ છે કે વાહનચાલકને સિગ્નલની લાલ લાઈટ પર ઊભા રહેવું પડતું નથી. જમણી બાજુ વળવા માટે ભલે વાહને 100થી 200 મીટર વધુ આગળ જવું પડે, પરંતુ સિગ્નલ પર 1 કે 2 મિનિટ સુધી એન્જિન ચાલુ રાખીને ઊભા ન રહેવું પડતું હોવાથી નાગરિકોના સમય અને પેટ્રોલ બંનેની મોટી બચત થાય છે. પરિણામે, ટ્રાફિક સ્મૂથ અને સતત ફરતો રહે છે.

Exit mobile version