
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શનિવારે (4 એપ્રિલ, 2026) ભારતને ફરી એકવાર પોકળ ધમકી આપતા કહ્યું કે જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન કરવાનો પ્રયાસ કરશે, તો પાકિસ્તાન ભારતના પૂર્વી મહાનગર કોલકાતા પર હુમલો કરી દેશે. પાકિસ્તાની રક્ષા મંત્રીનું આ નિવેદન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશના પડોશીઓને કોઈપણ પ્રકારનું દુસાહસ ન કરવાની ચેતવણી આપ્યા બાદ સામે આવ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સિયાલકોટમાં પત્રકારો સાથે વાતચીત કરતા ખ્વાજા આસિફે કહ્યું, ‘જો ભારત આ વખતે કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન કરવાનો પ્રયાસ કરશે, તો ઈન્શાઅલ્લાહ અમે કોલકાતા પર એટેક કરીશું.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘જો ભારત પોતાના જ લોકો દ્વારા અથવા પોતાની કસ્ટડીમાં રાખવામાં આવેલા પાકિસ્તાની લોકો દ્વારા કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશનનું પ્લાનિંગ કરે છે, જેમ કે ક્યાંક મૃતદેહો રાખીને એવો દાવો કરવો કે આ આતંકવાદીઓ હતા, તો પાકિસ્તાન તેનો જવાબ કોલકાતા સુધી હુમલો કરીને આપશે.’
વાસ્તવમાં, ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે (2 એપ્રિલ, 2026) પાકિસ્તાનનું નામ લીધા વગર ભારતના પડોશી દેશને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોઈપણ પ્રકારના દુસાહસ બાદ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે. ભારત તરફથી આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધી રહ્યો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં
