Site icon Time News

Operation Sindoor: ભારતીય સેનાની એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનમાં 90થી વધુ આતંકીઓ ઠાર

Oplus_131072

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે આતંકવાદ સામેની તેની નીતિ વધુ આક્રમક બનાવી અને 6-7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતની ત્રણેય સેનાઓએ સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.

આ ઓપરેશન બપોરે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદી લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાની એરસ્ટ્રાઈકમાં 90થી વધુ આતંકીઓ ઠાર મરાયા છે. જેમાં મુરદીકેમાં જ 30 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 90 થી વધુ આતંકીઓનો સફાયો થઇ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરદીકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, Operation Sindoor પર સેનાની પ્રેસ કોન્ફરન્સ:વિદેશ સચિવે કહ્યું- પાકિસ્તાનમાં આતંકવાદીઓ સુરક્ષિત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version