
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો હોવાનું સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.
https://youtube.com/shorts/IfphVIYEsqY?si=jTzX0uJdoNoqAOX5
સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આવેલા આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવતું હતું.” આ ઓપરેશન અંતર્ગત કુલ મળીને નવ (૯) સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, આ કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને ઉશ્કેરણી ટાળવા માટેની હતી. નિવેદનમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને આ કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતે લક્ષ્યોની પસંદગી અને તેમને નષ્ટ કરવાની રીતમાં ઘણો સંયમ દાખવ્યો છે.
મંત્રાલયના નિવેદન અનુસાર, આ પગલાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે, જેમાં ૨૫ ભારતીયો અને એક નેપાળી નાગરિક સહિત કુલ ૨૬ લોકો માર્યા ગયા હતા. મંત્રાલયે પુનરાવર્તિત કર્યું કે, આ હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે તેવી ભારતની પ્રતિબદ્ધતા પર તે ખરા ઉતરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ વિશે વિગતવાર માહિતી પછીથી આપવામાં આવશે તેમ પણ મંત્રાલયે જણાવ્યું છે
આ પણ વાંચો, http://Supreme Court: ‘દેશમાં અનામત ટ્રેનનો ડબ્બો બની ગયું છે…’, અનામત મામલે સુનાવણી દરમિયાન જજની ટિપ્પણી
