Site icon Time News

રાજકોટમાં આજે ‘ઑપરેશન જંગલેશ્વર’,મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન

 રાજકોટમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ‘ઓપરેશન જંગલેશ્વર’ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ જંગલેશ્વર વિસ્તારમાં દબાણ પરના 1,198 મકાનો તોડી પાડવામાં આવશે અને અંદાજે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલી કરવામાં આવશે.

વહીવટી અને સુરક્ષા આયોજન

આ ઓપરેશનને સફળ બનાવવા માટે મનપા અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે:

વર્તમાન સ્થિતિ અને પોલીસ નિવેદન

DCP હેતલ પટેલે (ઝોન-1) જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી વિવિધ વિભાગોના સંકલન સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. સુરક્ષાના ભાગરૂપે અને શાંતિ જળવાઈ રહે તે માટે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, તંત્રની કડક કાર્યવાહી પહેલા જ 1,000 થી વધુ મકાનો લોકોએ સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધા હતા.

મનપા કમિશનર તુષાર સુમેરા વિશેષ કંટ્રોલરૂમથી સમગ્ર ‘ઓપરેશન જંગલેશ્વર’નું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી 1130 થી વધુ સ્ટાફની ટીમો રવાના કરવામાં આવી હતી. આ કામગીરીમાં શહેરના તમામ IAS અને IPS અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે ચાર સિટી ઇજનેરોની અધ્યક્ષતામાં 7 ટીમો દ્વારા બુલડોઝરની મદદથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

કઈ કઈ જગ્યાએ ડિમોલિશન થશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:http://ભારતીય વાયુસેનાના સ્વદેશી લડાયક ‘તેજસ’ વિમાનની બ્રેક ફેલ, રનવે પરથી નીચે ઉતરી જતાં મોટું નુકસાન

Exit mobile version