
રાજ્યમાં અત્યારે મોંઘવારી જાણે માઝા મૂકી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને રસોડાના સૌથી મહત્ત્વના ઘટક એવા ખાદ્યતેલના ભાવમાં જે રીતે ભડકો થયો છે, તેનાથી ગૃહિણીઓનું આખું બજેટ વિખેરાઈ ગયું છે. છેલ્લા માત્ર છ દિવસના ટૂંકા ગાળામાં જ સિંગતેલના ભાવમાં રૂપિયા 70 જેટલો જંગી વધારો ઝીંકાયો છે. આ વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂપિયા 3200ની સપાટીએ પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર માનવામાં આવે છે.
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ માટે વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલનો ભાવ પણ રૂપિયા 2700ની આસપાસ પહોંચી જતાં સામાન્ય લોકો માટે હવે શું ખાવું અને શું બચાવવું તે પ્રશ્ન ઉભો થયો છે. રસોડામાં વપરાતા તેલની આ તેજીએ લોકોની આજીવિકા પર અસર કરી છે.
ગૃહિણીઓ અને વેપારીઓ મૂંઝવણમાં
ખાદ્યતેલ મોંઘુ થતા ગૃહિણીઓએ હવે વપરાશમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, ફરસાણના વેપારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેલના ભાવ વધતા ફરસાણની કિંમતો વધારવી પડે તેમ છે, પરંતુ જો ભાવ વધે તો ગ્રાહકો ઘટી જાય તેવો ભય તેમને સતાવી રહ્યો છે. બજારમાં આ વીડિયોમાં જોઈ શકાય તેવી પરિસ્થિતિ છે કે લોકો હવે માત્ર જરૂર પૂરતું જ તેલ ખરીદી રહ્યા છે.
ઓશો રજનીશે એકવાર કહ્યું હતું કે, “જીવનમાં સંતુલન ખૂબ જરૂરી છે.” પરંતુ અત્યારની આર્થિક પરિસ્થિતિમાં આ સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે. મધ્યમ વર્ગના પરિવારો કે જેઓ નિશ્ચિત આવકમાં ઘર ચલાવે છે, તેમના માટે તેલના ડબ્બા પાછળ થતો આ વધારાનો ખર્ચ અન્ય જરૂરી ખર્ચાઓમાં કાપ મુકવા મજબૂર કરી રહ્યો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: સમોસા તો બહાનું, અસલી કારણ કંઈક બીજું! રાઘવ ચઢ્ઢા અને કેજરીવાલ વચ્ચે કેમ પડી તિરાડ?
