Site icon Time News

Pakistan: હવે પાકિસ્તાને કરી જવાબી કાર્યવાહી કરવાની માંગ, તો પીએમ શહબાઝે કહ્યું ‘સેનાને પૂરો અધિકાર’

ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ને લઈ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ તરફ હવે પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. સૂત્રો મુજબ પાકિસ્તાની સેનાએ વડા પ્રધાન શાહબાઝ શરીફ પાસેથી મુક્તિ માંગી છે. તેઓ ભારત સામે કાર્યવાહી કરવા માંગે છે. આ અંગે શાહબાઝે કહ્યું કે, સેનાને આ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પાકિસ્તાની વડા પ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા બેઠક યોજી છે. જોકે આ અંગે હજી સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

ભારતના ઓપરેશન સિંદૂર પછી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાકિસ્તાન પહોંચી ગયું છે. તેમણે આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલા વિશે માહિતી આપી. પાકિસ્તાન સેનાએ કહ્યું છે કે, ઓપરેશન સિંદૂરમાં 26 લોકો માર્યા ગયા છે અને 46 ઘાયલ થયા છે. આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરને ભારે નુકસાન થયું છે. તેમના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા છે.

ભારતીય સેનાએ બુધવારે ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ યોજી હતી. આમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે, આર્મી ઓફિસર કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેના ઓફિસર વ્યોમિકા સિંહે ભારતની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. કર્નલ સોફિયાએ કહ્યું કે ભારતીય સેનાની કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને નિશાન બનાવવામાં આવ્યો નથી. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.

પહેલગામ હુમલાનો બદલો લેતા બુધવારે (7 મે,2025) ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલો કર્યો. આ આતંકવાદી ઠેકાણા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં હતા. સેનાના આ હવાઈ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ હવાઈ હુમલા તે આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવાઈ હુમલામાં કુલ 9 આતંકવાદી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, GTU-ITR (GPERI) ને ISTE દ્વારા મળ્યો શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ એવોર્ડ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version