
ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ વિભાગ દ્વારા રેવન્યુ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધો. 12 પાસ જરૂર હતું. જેની જગ્યાએ હવે રેવન્યુ તલાટીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સ્નાતક ફરજીયાત હોવો જોઈએ.
તેમજ રેવન્યુ તલાટીની ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારોની વય મર્યાદા 33 વર્ષથી વધારી 35 વર્ષ કરવામાં આવી છે. આ સુધારા બાબતે રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર પણ કરવામાં આવી છે. રીક્રુટમેન્ટ રુલ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો, Gandhinagar: હોળી-ધૂળેટીના પર્વે CM ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવી
