Site icon Time News

અમદાવાદમાં હાઈરાઈઝ ઈમારતો બની સ્યૂસાઈડ પોઈન્ટ; એક યુવતીની મોતની છલાંગ

અમદાવાદ શહેર આપઘાતોનું શહેર બની રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં અહી ઉંચી ઈમારતોથી છલાંગ લગાવીને મોત વ્હાલુ કરનારાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદમાં વધુ એક ઈમારત પરથી કૂદીને એક યુવતીએ મોત વ્હાલુ કર્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ગુપ્તાનગરમાં સિદ્ધિવિનાયક બિલ્ડીંગના 5 માળેથી પડતું મૂકી એક યુવતીએ આપઘાત કર્યો છે. આ યુવતી કોણ છે અને ક્યાંથી આવી હતી તે હજી સામે આવ્યું નથી. જોકે, યુવતીના આપઘાતનું કારણ અકબંધ છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ આપઘાતનું કારણ બહાર આવશે. 

Exit mobile version